રણબીર કપૂર રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' વર્ષ 2023ની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. આ ફિલ્મે બોક્સઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મરસિકોથી લઈને સેલિબ્રિટી સુધી બધાએ ફિલ્મના ડાયરેક્ટર સંદીપ વાંગા રેડ્ડીના વખાણ કર્યા. આ સાથે ફિલ્મમાં રણબીર કપૂર અને બોબી દેઓલના પાત્રોને પણ લોકોનો ઘણો પ્રેમ મળ્યો છે. જો કે, આ ફિલ્મ તેના કેટલાક દ્રશ્યોને લઈને વિવાદોમાં પણ રહી હતી. જેના કારણે નિર્દેશક અને કલાકારોને ટીકા અને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં ફિલ્મે બોક્સ ઓફિસ પર તગડી કમાણી કરી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. પણ એનિમલ ફિલ્મને લઇ ફરી એક વખત હંગામો મચી ગયો છે.
એનિમલ ફિલ્મ રિલીઝ થયાને બે મહિના થઈ ગયા છે. ત્યારે હવે લોકો ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરીએ ઓટીટી પર રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ હાલ એક હોબાળો મચી ગયો છે. જીહા, ફિલ્મના કો-પ્રોડ્યુસર ફિલ્મને ઓટીટી પર રિલીઝ કરવા માટે તૈયાર નથી. આ માટે તેણે કોર્ટનો સહારો લીધો છે.
વાસ્તવમાં પ્રાપ્ત માહિતી મુજબ સિને વન સ્ટુડિયો પ્રાઈવેટ લિમિટેડે 'એનિમલ'ના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે ફિલ્મના સહ-નિર્માતા હોવાનો દાવો કરીને દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. સિને વન સ્ટુડિયોએ આરોપ લગાવ્યો છે કે ટી-સિરીઝે તેમને ફિલ્મની કમાણીમાંથી નફાનો હિસ્સો આપ્યો નથી. સિને વનનું કહેવું છે કે 'એનિમલ' બે પ્રોડક્શન હાઉસ સાથે કરાર કરીને બનાવવામાં આવી હતી. જેમાં સિને વનના મતે તેમને 35 ટકા નફો મળવો જોઈતો હતો.
આ તરફ સિને વન તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સંદીપ સેઠીએ કહ્યું કે, ટી-સિરીઝ તમામ નાણા એકઠા કરી રહી છે, પરંતુ સિને વનને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી. બીજી તરફ ટી-સિરીઝ વતી વરિષ્ઠ વકીલ અમિત સિબ્બલે કેસ રજૂ કર્યો હતો. તેમનું કહેવું છે કે સિને વન સ્ટુડિયોએ 'એનિમલ'માં એક પણ પૈસો રોક્યો નથી અને 2 ઓગસ્ટ, 2022ના રોજ કરાયેલા સુધારા મુજબ, સિને વન સ્ટુડિયોએ રૂ.2.6 કરોડમાં તેના તમામ ઇન્ટરએક્ચયુઅલ પ્રોપર્ટી રાઇટ છોડી દિધા છે. સિને વને આ સુધારો છુપાવ્યો છે. ભલે તેણે એક પૈસાનું રોકાણ પણ કર્યું ન હોય છતાં પણ તેને 2.6 કરોડ મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાવસિંહજી હોસ્પિટલમાં દવા મેળવવા માટે દર્દીઓને વેઠવી પડે છે પરેશાની
June 03, 2025 02:41 PMA unique initiative in Bhavnagar: One cloth bag will be given for every 50 plastic bags.
June 03, 2025 02:40 PMમનપાની ‘બ્લેક આઉટ’માં બેદરકારી બાદ હવે ‘વ્હાઇટ આઉટ’માં વીજળી વ્યય!
June 03, 2025 02:39 PMગોઢાણિયા સંકુલમાં ૧૫ દિવસના યોગ સમર કેમ્પનું થયું સમાપન
June 03, 2025 02:38 PMભાવનગર શહેર સમસ્ત બ્રહ્મ સમાજ (સૌરાષ્ટ્ર કચ્છ) દ્વારા સૌપ્રથમવાર બિઝનેસ સમિટ યોજાઈ
June 03, 2025 02:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech