મનપાની ‘બ્લેક આઉટ’માં બેદરકારી બાદ હવે ‘વ્હાઇટ આઉટ’માં વીજળી વ્યય!

  • June 03, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર મહાનગરપાલિકાના તંત્રના સ્ટ્રીટલાઇટ ચાલુ-બંધ કરાવવાના કોઇ ઠેકાણા  રહ્યા નથી તેની બેદરકારી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અવારનવાર જોવા મળી છે. તાજેતરમાં જ પોરબંદર સહિત ગુજરાતમાં અડધો કલાકનું ‘બ્લેક આઉટ’ રાખવામાં આવ્યુ ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ કર્લીપુલ ઉપરના બંને લાઇટ ટાવર ઝળહળતા રાખીને પોતાની બેદરકારી દર્શાવી હતી. તો હવે બીજી બાજુ શહેરના બોખીરાથી જ્યુબેલી પુલ સુધીના રસ્તે અને રોકડીયા હનુમાનથી માધવાણી કોલેજ સુધીના બે.કી.મી.ના બે માળના સ્પ્લીટ ફલાય ઓવરબ્રીજ ઉપર દિવસના સમયે અવારનવાર સ્ટ્રીટલાઇટ ઝળહળતી હોય છે ત્યારે આ તસ્વીર જોતા મનપાની ‘બ્લેક આઉટ’માં બેદરકારી બાદ હવે ‘વ્હાઇટ આઉટ’માં વીજળી નો વ્યય કરવામાં આવતો હોય તેવું જણાઇ રહ્યુ છે. પાવર બચાવવા માટે મહાનગરપાલિકાના તંત્રએ વહેલીતકે કાર્યવાહી કરવી જોઇએ અને વારંવાર જ્યાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવે છે ત્યાં જવાબદાર એવા મનપાના કર્મચારીઓ સામે પગલા ભરવા જોઇએ તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application