ભાવસિંહજી હોસ્પિટલમાં દવા મેળવવા માટે દર્દીઓને વેઠવી પડે છે પરેશાની

  • June 03, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓને દવા મેળવવા માટે પારાવાર પરેશાની વેઠવી પડી રહી છે તેથી વધારાની દવાબારી ખોલવા માટે માંગ થઇ છે તો બીજી બાજુ સરકારીતંત્ર આ વ્યવસ્થા ઓનલાઇન ગોઠવવ માંગે છે પરંતુ અપૂરતા કર્મચારીઓને લીધે તે શકય નહી હોવાનું જાણવા મળ્યુ છે.
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ એ જિલ્લાની સહુથી મોટી હોસ્પિટલ છે કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ગામેગામથી દર્દીઓ સારવાર અને નિદાન કરાવવા માટે આવે છે અને દવા પણ અહીં નિ:શુલ્ક આપવામાં આવે છે પરંતુ મંગળવારે ૬૦ વર્ષથી ઉપરના દર્દીઓ માટેની દવાબારી કર્મચારીઓના અભાવને કારણે ખોલવામાં નહી આવતા જનરલ દવાબારીમાં ખૂબજ લાંબી લાઇનો લાગી હતી અને ૨૦૦થી વધુ દર્દીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા જેમાં મહિલાઓથી માંડીને વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. ત્યારે હોસ્પિટલના તંત્રએ અહીંયા વધારાની બારી શ‚ કરવી જોઇએ તેવી માંગણી દર્દીઓ દ્વારા કરવામાં આવી હતી. હોસ્પિટલના તંત્ર દ્વારા દવાબારીની કામગીરી ઓનલાઇન કરવા માટે હિલચાલ થઇ રહી છે જો કે સ્ટાફના અભાવે તે શકય નહી હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ થઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application