જામવાડી ગામના પાટીયા પાસે કારની ઠોકરે યુવાનનું મોત

  • June 09, 2025 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રસ્તો ક્રોસ કરતી વેળાએ અજાણ્યો કારચાલક હડફેટે લઇ ફરાર

જામજોધપુરના જામવાડીના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને પુરપાટ ઝડપે આવેલી કારે ઠોકરે ચડાવી ગંભીર ઇજા પહોચાડતા યુવાનનું મોત નિપજયુ હતું આ અંગે અજાણ્યા કાર ચાલક સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા તુષારભાઈ રમણીકભાઈ ખાંટ (ઉ.વ.૪૫) કે જેઓ ગત ૨૩.૫.૨૦૨૫ ના રાત્રિના પોણા નવેક વાગ્યે એક ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી ઉતરીને જામવાડીના પાટીયા પાસે પોતાના ગામ તરફ જવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા.

જે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી એક અજાણ્યા કારના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં હાથ-પગમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ અકસ્માત ના બનાવ અંગે મૃતક ના પિતા રમણીકભાઈ મૂળજીભાઈ ખાંટએ જામજોધપુર પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application