બરડા ડુંગરમાં સિંહ સહિત વન્ય પ્રાણીઓની લાઇફને ડિસ્ટર્બ કરનારા અને દબાણ કરનારા તત્ત્વો સામે કડક પગલા ભરવા પોરબંદર આવેલા કેન્દ્રીયમંત્રીને એશિયાટીક લાયન ક્ધઝર્વેશન સોસાયટી દ્વારા બ મળીને આવેદન પાઠવાયુ હતુ.
એશિયાટિક લાયન ક્ધઝર્વેશન સોસાયટી દ્વારા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઇ માંડવિયાનેે બરડા જંગલમાં થતી ગેરકાયદેસર પેશકદમી, તથા દબાણના વિરોધ બાબત રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે રજુઆત કરતા જણાવાયુ હતું કે પોરબંદર જિલ્લો ગુજરાત ઉપરાંત વૈશ્ર્વિક નકશા પર પ્રવાસન ક્ષેત્રે એક મહત્વનું સ્થાન બનવા તરફ કુચ કરી રહયો છે. જેમાં બરડા અભયારણ્ય એક મહત્વનું સ્થાન ધરાવે છે. તેમજ છેલ્લા થોડા સમયથી બરડાને પણ સિંહે પોતાનું નિવાસસ્થાન બનાવેલ છે. તેમજ બરડા અભયારણ્યમાં પણ સફારી ચાલુ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા અને સમગ્ર વિસ્તારને બરડા અભ્યારણ્યથી પ્રવાસન ક્ષેત્રે ઘણી અપેક્ષાઓ છે.
અભયારણ્યના ખંભાળા ડેમની પાછળના ભાગમાં જંગલ ખાતા હસ્તકની ૨૦ હેકટર જમીનમાં ૨૪ ઇસમો દ્વારા ગેર-કાયદેસર પેશકદમી કરી વાવેતર/દબાણ કરેલ હતુ. આ વિસ્તારમાં કુદરતી રીતે ઉગેલ ઝાડ તથા અન્ય વનસ્પતિ જે અનેક વન્યપ્રાણીના રહેઠાણ હોય તે કાપી સાફ સફાઇ કરી ખેડાણ કરી જમીન લેવલ કરી અને આર્થિક/ નાણાકીય લાભ મેળવવાના હેતુથી આંબાના રોપાનું વાવેતર કરવામાં આવેલ હતુ. ઉપરાંત આ વાવેતરના રક્ષણ માટે ઝટકા તથા લોખંડના તાર ફેન્સીંગ અને વાડ કરેલ હતી. આ વાવેતરમાં સિંચાઇ માટે દિવસ તથા રાત્રીના સમય દરમ્યાન ડીઝલ પંમ્પ (મશીન) દ્વારા પ્લાસ્ટીકની પાઇપ પાથરી અને પીયત કરવામાં આવતું હતું. આ આંબાના રોપાઓની જાળવણી માટે રાસાયણી દવા તથા પેસ્ટીસાઇડનો છંટકાવ કરવામાં આવતો જે આજુ બાજુની જીવ શ્રુષ્ટિ માટે હાનિકારક છે. એ પણ ધ્યાને આવ્યું હતુ કે અમુક સ્થળો પર કુદરતી વૃક્ષો અને વનસ્પતિ કાપી જમીન સાફ કરી વાડ કરવામાં આવી હતી જેથી આગામી ચોમાસામાં નવું વાવેતર અને ખેડાણ લઈ શકાય. આવી પ્રવૃતિઓ બરડા અભયારણ્યમાં વસવાટ કરતા સિંહ તથા અન્ય વન્યપ્રાણીઓના રહેઠાણ તથા પાણી પીવા અને અવર જવર માટે અવરોધક અને હાનિકારક હોય જેથી ઉપર જણાવ્યા મુજબના કૃત્યમાં વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમોની જોગવાઇ અનુસાર અત્રેથી આ બાબતે ગુન્હાઓ નોંધવામાં આવેલ છે.
બરડા મેનેજમેન્ટ પ્લાનની જોગવાઇ મુજબ સ્થાનીક પ્રજાતિના રોપાના વાવેતરને પ્રોત્સાહન કરવા બાબતેનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પરંતુ આ પેશકદમી/દબાણ કરેલ જમીનમાં મોટા પ્રમાણમાં આંબાના રોપાઓનુ વાવેતર કરવામાં આવેલ હતુ જે રોપા કોઇ લોકલ પ્રજાતિના ન હતા. હોર્ટિકલ્ચર પ્રજાતિના રોપા હોય આ ૨૪ ઇસમો દ્વારા બહારથી આ આંબાઓના રોપા લાવી અને બિનકાયદેસર રીતે વાવેતર કરવામાં આવેલ હતું. આ બહારની પ્રજાતિના આંબાના રોપા હોર્ટિકલ્ચર પ્રજાતિ હોય જંગલ વિસ્તારમાં સ્થાનિક ઇકો સીસ્ટમને અનુકુળ ન હોય. જેથી ૦ થી ૨ વર્ષના અંદાજીત ૧૬૦૦ આંબાના રોપા તથા ૩ થી ૪ વર્ષના અંદાજીત ૩૨૫ આંબા દુર કરવામાં આવેલ હતા. વન વિભાગ દ્વારા આ વાવેતર/દબાણ હટાવી આ સ્થળ પરની જમીનમાં બરડા મેનેજમેન્ટ પ્લાનની જોગવાઇ મુજબ વન્યજીવોના ખોરાક અને ઇકો સીસ્ટમ માટે ૩,૦૦૦ જેટલા વડ, કરમદા, ખાખરા, રાયણ, લીમડા, ઉંમરા તથા અન્ય સ્થાનિક પ્રજાતિના રોપાનું વાવેતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.
બરડા અભ્યારણય જંગલમાં જયારે ૧૪૩ વર્ષ બાદ ગુજરાતનુ ગૌરવ એશીયાટીક સિંહનુ સ્વેચ્છાએ આગમન થયેલ હોય અને હાલ ગુજરાત સરકાર દ્વારા જયારે બરડા અભયારણ્યને સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરવાની દિશામાં પગલા લેવાય રહ્યા હોય ત્યારે આવા ગેર ધોરણના કૃત્ય જો આજે રોકવામાં ન આવે તો ભવિષ્યમાં આવા ઇસમોને જંગલની જમીનમાં પેશકદમી. વાવેતર અને વાડાઓ કરવાનો એક મોકળો માર્ગ મળી જાય તેમ હોય જેથી આ બરડા અભયારણ્યની જમીનમાં કરવામાં આવેલ વાવેતર/દબાણ ફરજના ભાગપે ફકત બરડાની અભ્યારણ્ય જંગલ ભાગમાં વસવાટ કરતા નાના-મોટા વન્યપ્રાણીઓના હિતમાં આ રહેઠાણના સંરક્ષણ અને સંવર્ધન માટે દુર કરવામાં આવેલ છે.
આ તમામ બાબતોને જાણ્યા બાદ ડો મનસુખ માંડવિયા દ્વારા હકારાત્મક પ્રતિક્રિયા આપવામાં આવેલ હતી. તથા એશિયાટીક લાયન ક્ધઝર્વેશન સોસાયટી દ્વારા થતી કામગીરીને બિરદાવી હતી. ત્યારબાદ એશિયાટીક લાયન ક્ધઝર્વેશન સોસાયટીના સભ્યો, અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્યને આ અંગે રજૂઆત કરવા તેમના નિવાસસ્થાને ગયા હતા. અર્જુનભાઈ એ સમગ્ર રજૂઆત ને યોગ્ય રીતે સમય આપી ને સાંભળી હતી અને બરડાની અભયારણ્ય અને સિંહ નું ભાવિ ઊજળું થાય એ અંગે હકારાત્મક પ્રતિભાવ સાથેની યોગ્ય પગલાં લેવા ખાતરી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMક્રુડ ઓઇલના ભાવમાં થઈ રહેલો સતત વધારો દુનિયાને દઝાડશે, જાણો આની પાછળના કારણો
June 09, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech