પોરબંદર મહાનગરપાલિકાએ છાયાવાસીઓને ડુબાડવા માટે આયોજન ઘડી કાઢતા આક્રોશ!

  • June 09, 2025 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત ચોમાસે પોરબંદરવાસીઓને વરસાદી પાણી ઘરમાં ભરાઇ જતા લાંબા સમય સુધી હેરાન પરેશાન થવુ પડયુ હતુ. આ વર્ષે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહી તે માટે મનપાનું તંત્ર આગોતરુ આયોજન કરી રહ્યુ છે પણ છાયાના રેલ્વેફાટક નજીક હાલમાં ટેસ્ટીંગના નામે ગટરના પાણી વહાવવાની કામગીરી ચાલતી હોવાથી સ્થાનિક રહેવાસીઓએ તેનો વિરોધ દર્શાવ્યો છે અને એવી માંગ કરી છે કે અમારા વિસ્તારને ડુબાડવા માટેનું મનપાનું આયોજન હોય તેવુ જણાઇ રહ્યુ છે.  
પોરબંદરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન છાયા ચોકીથી છાયા રતનપર ચોકડી સુધીના વિસ્તારમાં આવેલા ૧૦૦૦ થી વધુ મકાનની અંદર વરસાદી પાણી ઘૂસી જાય છે અને તેનો સમયસર નિકાલ થતો નથી આ વર્ષે મહાનગરપાલિકાનું તંત્ર જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય તો તેનો તાત્કાલિક નિકાલ થાય તે માટે આગોતરું આયોજન કરી રહ્યું છે પણ તેમાં છાયાવાસીઓને ડુબાડવાનું કાવતરું ઘડી કાઢ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. છાયા ના રેલવે ફાટક નજીક હાલમાં ટેસ્ટીંગ ના નામે ગટરના પાણી વહાવવાને લીધે રણ વિસ્તારમાં ગટરના પાણી ભરાઈ રહ્યા છે. તેથી આ વિસ્તારના લોકોએ વિરોધ દર્શાવીને જણાવ્યું છે કે મહાનગરપાલિકાનું તંત્ર અલગ અલગ વિસ્તારમાંથી પાણી કાઢીને અમારા વિસ્તારમાં ભરી રહ્યું છે ચોમાસા દરમિયાન વરસાદ વરસે ત્યારે અમારી સ્થિતિ વિકટ બની જશે. માટે તંત્રએ ટેસ્ટીંગના નામે પણ આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવો જોઈએ નહીં અને હાલમાં જે પાણી છે તે કાઢી નાખવું જોઈએ જેથી ચોમાસા દરમિયાન વધુ વરસાદ વરસે તો આ વિસ્તારના લોકો હેરાન થાય નહીં તે માટે યોગ્ય કરવા માંગ થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application