કોંગ્રેસના કેટલાંક નેતાઓ હતા જે વેચાઈ ગયા પરંતુ કાર્યકર્તા વેચાયા નથી: શકિતસિંહ ગોહિલ

  • June 02, 2025 04:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે વિસાવદરમાં ગુજરાત કોંગ્રેસ ભાજપની નોકરી કરતી હોવાના કરેલા નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા સાઇટ એકસ' પર પોસ્ટ કરીને કોંગ્રેસમાંથી ફટેલી કારતૂસોને બહાર કાઢવાની માંગ કરી હતી.



રવિવારે વિસાવદર પહોંચેલા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઘરની વાત ધરના પ્લેટફોર્મ પર કરવી જોઈએ અને કોઈપણ ટિપ્પણી કરવી યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું.ગુજરાતમાં કોંગ્રેસની સરકાર ન બની હોય, અમારા એકેએક કાર્યકર્તા એકેએક તાલુકામાં, એકેએક ગામમાં ભાજપ સામે લડી રહ્યો છે; અમારા કાર્યકર્તાઓએ લાકડી ખાધી છે, ફરિયાદનો ભોગ બન્યા છે, જેલ ગયા છે! કેટલાક નેતાઓ હતા જે વેચાઈ ગયા પરંતુ કાર્યકર્તાઓ વેચાયા નથી.



મેવાણીએ એક નિવેદનમાં જણાવ્યું કે, અરવિંદ કેજરીવાલે વિસાવદરમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાતની જનતાની નહીં, ભાજપની સર્વિસમાં છે. આ બકવાસ છે, નોન્સેન્સ છે, ચાર ફટેલી કારતૂસોના કારણે આખી ગુજરાત કોંગ્રેસ બદનામ ના થવી જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિપાહીઓ ૨૫–૩૦ વર્ષથી તાલુકા અને જિલ્લ ા કક્ષાએ સધં પરિવારના
ભાજપ સામે લડી રહ્યા છે અને તેમના ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે લડત આપી રહ્યા છે.



અન્ય એક એકસ પોસ્ટમાં જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર નિશાન તાકતા લખ્યું હતું કે, હવે તો બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફટેલી કારતૂસો ભરી છે. કાઢો ને, શેની રાહ જુઓ છો? બી ટીમ, ફટેલી કારતૂસો, સામેના કેમ્પ જોડે સેટિંગ કરવાવાળા, લના ધોડા આ બધાને કાઢવામાં દુખે છે કયાં? માં નહિ તો રાહત્પલજીનું તો માનો!



અધ્યક્ષ છે, પરિવારની વાત પરિવારના પ્લેટફોર્મ પર થાય અને પરિવારના પ્લેટફોર્મ પરનો જવાબ પણ પરિવારના પ્લેટફોર્મ પર આપવાનો હોય. એ ખૂબ સમજદાર વ્યકિત છે અને હત્પં નથી માનતો, એવી વ્યકિત કે જેને અમારી કોંગ્રેસ પક્ષની અંદર રહીને કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરતા હોય, ત્યારે એમના વિશે કોઈ પણ ટિપ્પણી કરવી એ યોગ્ય નથી. આ પરિવારની વાતો પરિવારમાં થતી હોય છે અને કરી લેતા હોય છે.


બીજી તરફ, વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી માટે પહોંચેલા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શકિતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ પક્ષના કાર્યકારી નોંધનીય છે કે, આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, ભાજપની જેમ કોંગ્રેસ પણ એક નંબરની ચાલાક છે. એ ભાજપની જ નોકરી કરે છે, કોંગ્રેસ ભાજપના જ ખોળે બેઠી છે. વર્ષ ૨૦૨૨માં ચૂંટણી બાદ કોંગ્રેસના પાંચ ધારાસભ્ય ભાજપમાં જોડાઇ ગયા, એમાં એક અમારો સિક્કો પણ ખોટો નીકળ્યો ને ભાજપમાં જોડાઇ ગયો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application