મહારાષ્ટ્રમાં હિંસાગ્રસ્ત પરભણીની મુલાકાત લીધા બાદ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હિંસાનો ભોગ બનેલા સોમનાથ સૂર્યવંશી અને તેમના પરિવારના સભ્યોને મળ્યા હતા. રાહુલ ગાંધીએ પરભણી કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ, વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ જોયા, જેના વિશે તેમણે કહ્યું કે તે 100 ટકા દર્શાવે છે કે કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તેમની હત્યા કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ફડણવીસ વિધાનસભામાં ખોટું બોલ્યા છે. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, આ હિંસા માટે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસ જવાબદાર છે.
પરભણીની મુલાકાત લીધા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, "હું પરિવારજનો અને માર્યા ગયેલા અને માર મારવામાં આવેલા લોકોને મળ્યો છું. તેઓએ મને પોસ્ટમોર્ટમ રિપોર્ટ, વીડિયો, ફોટોગ્રાફ્સ બતાવ્યા. આ દર્શાવે છે કે, મૃત્યુ 100 ટકા કસ્ટડીમાં જ થયું છે. તેની હત્યા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીએ એક સંદેશ આપવા માટે આ યુવકની હત્યા કરવામાં આવી હતી. કારણ કે તે દલિત હતો અને બંધારણનું રક્ષણ કરી રહ્યો હતો.
RSSની વિચારધારા બંધારણનો નાશ કરવાની છે
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, RSSની વિચારધારા બંધારણને નષ્ટ કરવાની છે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલાને તાત્કાલિક ઉકેલવામાં આવે અને જેણે આ કર્યું છે તેમને સજા મળવી જોઈએ. આમાં કોઈ રાજકારણ નથી ચાલી રહ્યું. વિચારધારા જવાબદાર છે, કારણ કે મુખ્યમંત્રીએ આ નિવેદન આપ્યું છે, આથી મુખ્યમંત્રી જવાબદાર છે, જેમણે તેમની હત્યા કરી છે તેઓ જવાબદાર છે અને શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા જોઈએ.
CMએ 10 લાખની સહાય આપવાની વાત કરી
રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બીડમાં માર્યા ગયેલા સરપંચ અને પરભણીમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા દલિત કાયદાના વિદ્યાર્થીની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે કહ્યું છે કે, બીડમાં સરપંચની હત્યા મામલે બેવડી તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે મકોકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે બીડમાં માર્યા ગયેલા સરપંચ સંતોષ દેશમુખ અને પરભણીમાં માર્યા ગયેલા સોમનાથ સૂર્યવંશીના પરિવારોને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech