ઉગલવાણ ગામે યુવાનનો વ્યાજખોરના ત્રાસથી મરવા મજબુર બની આપઘાત

  • June 06, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેસર તાલુકાના ઉગલવાણ ગામના યુવાને આજ ગામના શખ્સ પાસેથી દસ દિવસ પૂર્વે ૧૦ હજાર વ્યાજે લીધા હતા. અને તેના મામાના પુત્રને   વચ્ચે રહી વ્યાજે રૂપ. ૫૦ હજાર અપાવ્યા હતા. જે રકમની શખ્સ પઠાણી ઉઘરાણી કરી પાક ધમકી આપતો હોય કંટાળી મરવા મજબુર બની યુવાને જાતેથી એસીડ પી લઈ મોત ચાલુ કર્યું હતુ. આ અનાવના પગલે મૃતકના પત્નીએ વ્યાજખોર શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.
જેસર તાલુકાના ઉગલવાણ ગામે રામજી મંદિર પાસે રહેતા ઉપાબેન જેન્તીભાઈ ચાવડાએ ખુંટવડા પોલીસ મથકમાં આજ ગામના ગોબર ગીગાભાઈ નકુમ સામે કરીયાદ નોંધાવી હતી કે, તેઓના પતિ જેન્તીભાઈ બચુભાઈ ચાવડાએ ગોખર નકુમ પાસેથી રૂા. ૧૦ હજાર વ્યાજે લીધા હતા તેમજ તેના મામાજીના પુત્ર જયસુખભાઈ ભીખાભાઈ સીદ્ધતરીયાને બે વર્ષ પહેલા ગોબર પાસેથી રૂા. ૫૦ હજાર અપાવ્યા 
હતા.  જે અંગે ગોબર નકુમ તેના પતિએ વ્યાજના રૂપિયા અને વચ્ચે રહીને બીજાને અપાવેલા રૂપિયા વ્યાજ સાથે પાછા આપી જયા અવાર-નવાર ફોન કરી તેમજ ઘરે આવી તેના પતિ પાસે  ઉઘરાણી કરી તારા બાપના પૈસા દઈ દેજે નાહીંતર સાથે બેસીજા તેમ કહી ધસક-ધમકી આપી ડરાવતો હતો અને અસહ્યા ત્રાસ આપતો હતો. 
પોતાની પાસે વ્યાજે પૈસા આપવાનું લાઇસન્સ ન હોવા છતા તેના પતિને વ્યાજે પૈસ્તા આપી તેમજ તેના સગાને વ્યાજે રૂપિયા આપી ધમકાવતો હોય જેથી તેના પતિએ મરવા મજબુર બની હતા અને તેઓ સરેરા ગામે ખેત મજુરીએ ગયા હતા ત્યારે પતિએ જાતથી એસીડ પી લેતા તેઓને મહુવા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયા તેઓનું મૃત્યુ નિપજવા પામ્યું હતું. આ અંગે પોલીસે શખ્સ સામે બીએનએસ એક્ટ ૧૦૮, ૩૫૧(૨) તેમજ ગુજરાત ધીરધાર કરનારા બાબત અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application