ભાવનગરના યુવાન સાથે મુંબઈ, પટના અને અમરેલીના શખ્સોએ કરી ઠગાઈ

  • June 06, 2025 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ભરતનગર વિસ્તારની અભિષેક સોસાયટીમાં રહેતા યુવાનને આઈપીએસ બનાવી દેવાની લાલચ દેખાડી વિશ્વાસમાં લઈ મુંબઈ, પટના અને અમરેલીના શખસોએ જુદા જુદા બહાના તળે રોકડ ખંખેરી લઈ તમારુ બોડી આઈપીએસ બનવાને લાયક નથી તેમ કહી તેના પિતરાઈ ભાઈને રેલ્વેમાં નોકરી અપાવી દેવાનુ કહી ફરી મેડિકલ કરાવવા અને સર્ટી મેળવવા રૂપિયા મેળવી લઈ શખસોએ યુવાન પાસેથી રૂા. ૨૪ લાખ મેળવી નોકરી ન અપાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી.  શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલ અભિષેક સોસાયટીમાં રહેતા અને અભ્યાસ કરતા નિકંજભાઈ ચીથરભાઈ જાંબુચાએ ભરતનગર પોલીસ મથકમાં મુકેશ હકાભાઈ બાવાજી (રે. સાવરકુંડલા, જિ. અમરેલી), અનીલ ચુનીલાલ દોશી (રે. શિલ્પા બિલ્ડીંગ, ઘાટકોપર, વેસ્ટ મુંબઈ) અને શ્રીકાંત પાસવાન (રે. પટના રાજ્ય બિહાર) વિરુધ્ધ એવી  ફરીયાદ નોંધાવી હતી કે, સને ૨૦૨૨ ની સાલમા તા.૧૯-૦૪-૨૦૨૨ના રોજ  મુકેશ હકાભાઈ ને સાથે લઈ મુંબઈ ખાતે  અનીલભાઈ ચુનીલાલ દોશીની ઓળખાણ કરાવી  ફરીયાદીને સરકારી નોકરી આપવા બાબતે વાતચીત કરી  અનીલ ચુનીલાલ દોશીએ તેને વિશ્વાસ અને ભરોસો આપી આઈપીએસ થવુ હોઈ તો રૂ ૭૫ લાખ દેવા પડશે તેમ જણાવી જે પછી તા.૨૪-૦૯-૨૦૨૨ ના રોજ તેને કલકતા લઈ જઈ ત્યાં આગળ ડોક્યુમેંટ અનીલ ચુનીલાલને હાથો હાથ આપતા તેને નોકરીએ લગાવાના ટોકન પેટે ૭ લાખ અનીલ દોશીના બેંક ખાતા બેંક ઓફ બરોડા મા ગુગલ પે થી અલગ અલગ રકમ પેટે કુલ રૂ ૧૩, ૫૦,૦૦૦ જમા કરાવેલા તેમજ  શ્રીકાત પાસવાનને કલકતા ખાતે રોકડા રૂપીયા પ લાખ રોકડા તથા ૪ લાખ ૧૦ હજાર તેના ગુગલ પેથી જમા કરાવેલ તેમજ તા.૦૫-૦૩-૨૦૨૨ થી તા.૩૦-૧૧-૨૦૨૩ સુધીમાં મુકેશ હકાભાઈ બાવાજીના મોબાઈલ ઉપર ગુગલ પે થી કટકે કટકે રુપીયા ૩ લાખ ગુગલ પે થી કમીશન પેટે તેના ખાતામાં જમા કરાવેલ અને તેને જણાવેલ કે તમને આઇપીએસ બનાવવાની મહેનત ચાલે છે તમે ચિંતા કરતા નહી તેમ કહી વિશ્વાસ અને ભરોસો આપી આ રીતે તેઓ એ ફરીયાદી સાથે છ મહિના સુધી વાતચિત કર્યા બાદ તમારુ શરીર આઈપીએસ માટે લાયક નથી તેમ કહી તેના કાકાના દિકરા ભાવેશભાઈ અશોકભાઈને રેલ્વેમાં નોકરી આપવી દઈશ તેવો વિશ્વાસ અને ભરોસો આપી ભાવેશભાઈનુ મેડિકલ કરાવી મેડિકલ અને સર્ટી મેળવા ફરી ૨.૪૦ લાખ મેળવી લીધા હતા.  અને થોડા સમય પછી તેઓને કલકતા રેલ્વેનો બનાવટી એપોયમેન્ટ લેટર કઢાવી મોકલી આપી ખોટા દસ્તાવેજ બનાવી આપી ઉક્ત તમામે તેની સાથે કુલ રૂ.૨૪,૧૦,૦૦૦ ની નોકરી અપાવાના બહાને લઈ જઈ વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી. નિકુંજભાઈએ નોંધાવેલી ફરિયાદના   પગલે ભરતનગર પોલીસે શખસો સામે બીએનએસ એક્ટ ૪૦૬, ૪૨૦, ૪૯૫, ૪૭, ૪૯૮, ૪૭૧, ૧૧૪, મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application