22મી જુલાઈની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ, ઓખા-બનારસ એક્સપ્રેસનો 31મી જુલાઈથી કાનપુર સેન્ટ્રલનો સ્ટોપ કેન્સલ

  • May 30, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ટ્રેન નંબર ૨૨૯૬૯/ ૨૨૯૭૦ ઓખા- બનારસ-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસના સ્ટોપેજમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. આ ટ્રેન બીજી સૂચના ન આવે ત્યાં સુધી કાનપુર સેન્ટ્રલ રેલવે સ્ટેશનને બદલે તેની અગાઉના ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. જેમાં ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખા- બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ૩૧ જુલાઈ, ૨૦૨૫થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે.

આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૧૯.૨૦/૧૯.૨૫ વાગ્યાનો રહેશે.એવી જ રીતે ટ્રેન નંબર ૨૨૯૭૦ બનારસ- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ ૨૬ જુલાઈ, ૨૦૨૫થી આગામી સૂચના સુધી કાનપુર સેન્ટ્રલને બદલે ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનનો ગોવિંદપુરી રેલવે સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનનો સમય ૦૩.૨૫/૦૩.૩૦ વાગ્યાનો રહેશે. આ ટ્રેનના આગમન/ પ્રસ્થાનના સમય, કોચ કમ્પોઝિશન, સ્ટોપેજ વગેરેમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


22મી જુલાઈની પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ ટ્રેન રદ

ઉત્તર રેલ્વેના દિલ્હી સરાય રોહિલ્લા સ્ટેશન ખાતે એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોક હોવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ૨૨. ૦૭. ૨૦૨૫ની ટ્રેન નં. ૨૦૯૩૭ પોરબંદર- દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ રદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application