કનીવાવ ગામે બેવડી હત્યાના આરોપી અમિતે પોલીસ સમક્ષ રિક્ધટ્રક્શન કર્યું

  • May 31, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સિહોરના કનિવાવ ગામે દંપતિની  સનસનાટી ભર્યા હત્યા પ્રકરણમાં પોલીસે સમગ્ર બનાવનું આરોપી અમિતને સાથે રાખી રીક્ધટ્રક્શન કર્યું 
 આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપી અમિતે આ ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તે દિશામાં પોલીસે તપાસ સાંધી છે. ગઈકાલે રાત્રીના સિહોરના નેસડા ગામમાં બેવડી હત્યાના બનાવમાં પતિ-પતી વચ્ચે બબાલ થઇ રહી હતી, ત્યાં પાડોશીએ વચ્ચે દખલગીરી કરી હતી. ત્યારે દંપતીએ કહ્યું હતું કે ’તું અમારા ઝઘડામાં વચ્ચે ન પડીશ,’ જેથી ઉશ્કેરાયેલા અમિતે બાજુમાં પડેલી કુહાડી લઇને બંનેને રહેંસી નાખ્યા હતા. ઘટનામાં આરોપી અમિતને પોલીસે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી. પીઆઇ જાડેજાએ આરોપી પાસે બનાવને લઈને રીક્ધટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. જેમાં અમિત નાયકા રામુ અને લક્ષ્મીબેન ને કઈ રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા તે અંગેનું ડેમોસ્ટ્રેશન કરી આપ્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલ ચીજવસ્તુઓ કબ્જે લીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application