વિવાદોમાં ઘેરાયેલી IAS પૂજા ખેડકર વિરુદ્ધ UPSCએ મોટી કાર્યવાહી કરી છે. હવે તે IAS નહીં રહે. યુપીએસસીએ પૂજા ખેડકરને ભવિષ્યમાં કોઈ પણ પરીક્ષા કે પસંદગીમાં બેસવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત CSE-2022 માટે તેમની ઉમેદવારી પણ પંચ દ્વારા રદ કરવામાં આવી છે. કમિશને એક નિવેદન બહાર પાડીને આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
પૂજા ખેડકરે નિયમોનું ઉલ્લંઘન કર્યું- UPSC
UPSCએ કહ્યું કે તમામ રેકોર્ડ તપાસ્યા બાદ સામે આવ્યું છે કે પૂજા ખેડકરે CSE-2022ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પંચે CSEના છેલ્લા 15 વર્ષના ડેટાની સમીક્ષા કરી જેમાં 15 હજારથી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વચગાળાના જામીન અંગે કોર્ટનો નિર્ણય આવતીકાલે આવશે
ઉલ્લેખનીય છે કે પૂજા ખેડકર પર છેતરપિંડીનો આરોપ છે. બુધવારે (31 જુલાઈ) દિલ્હી કોર્ટમાં પૂજા ખેડકરના વચગાળાના જામીન પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સુનાવણી કર્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટ 1 ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે.
ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યો હતો ગુનો
હાલમાં જ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂજા ખેડકર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. યુપીએસપીની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી શરૂ કરી હતી. પૂજા ખેડકર પર નામ, ફોટોગ્રાફ, ઈમેલ અને એડ્રેસ જેવા દસ્તાવેજોમાં ખોટી માહિતી આપવાનો આરોપ છે. ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ પૂજા ખેડકરે ધરપકડ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો.
યુપીએસસીએ નોટિસ જારી કરી હતી
આ પહેલા યુપીએસસીએ પૂજા ખેડકરને પણ નોટિસ પાઠવી હતી. કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે ખેડકરે તેનું નામ, પિતા અને માતાનું નામ, ફોટોગ્રાફ/સહી, ઈમેલ આઈડી, સરનામું,મોબાઈલ નંબર બદલીને નકલી ઓળખ બનાવીને પરીક્ષાના નિયમો હેઠળ અનુમતિપાત્ર મર્યાદા કરતાં વધુ પ્રયાસ કરવાની છેતરપિંડી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech