ગઇકાલે મોસમનું સૌથી વધુ તાપમાન ૪૦ ડીગ્રીએ પહોંચ્યું: હવામાન ખાતાએ વધુ ત્રણ દિવસ સુધી આકરો તાપ રહેશે તેવી આગાહી કરતા લોકોમાં ચિંતા
રવિવારે આ સિઝનમાં જામનગરનું તાપમાન સૌથી ઉંચુ એટલે કે ૪૦ ડીગ્રીએ પહોંચી ગયું હતું, ગઇકાલે આકાશમાંથી સતત લૂ વરસતી રહી, આજે સવારે મહત્તમ તાપમાનમાં ૧ ડીગ્રીનો ઘટાડો થયો છે, પરંતુ આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં સૂર્યદેવતા કોપાયમાન થશે અને કેટલાક શહેરોમાં તાપમાન ૪૨ ડીગ્રીએ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૯ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૩ ટકા, પવનની ગતિ ૨૫ થી ૩૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હવે ધીરે-ધીરે ગરમી શ થશે એવું હવામાન ખાતાએ જણાવ્યું છે, જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે.
આજે સવારે ઝાકળભર્યા વાતાવરણમાં ઠંડક જોવા મળતાં વોકીંગ કરનારાઓને પણ રાહત થઇ હતી, ગઇકાલે રાત્રે વાતાવરણમાં થોડો પલ્ટો આવ્યો હતો અને પવન ફુંકાયો હતો, જો કે બપોરના ૧૧ થી ૫ દરમ્યાન આકરી રહે છે, ઉનાળાની શઆતમાં જ આ પ્રકારની ગરમી જોવા મળતા લોકોના કહેવા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધુ જોવા મળશે.
આકરા તાપને કારણે જામનગર સુધી ખરીદી માટે આવતા લોકોને ભારે મુશ્કેલી પડી છે, બપોરે ૧૨ થી ૪ દરમ્યાન એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઓછી થઇ ગઇ છે. આગામી દિવસોમાં તાપમાન ૪૨ ડીગ્રીને પાર કરી જશે. અને કેટલાક ગામોમાં સહી ન શકાય તેવો તાપ પડશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે ત્યારે રવિવાર સુધી લોકોને ગરમીથી પરેશાન થવું પડશે.
ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આગામી દિવસોમાં ફરીથી ગરમીનો દૌર શ થશે અને ગામડાઓમાં પણ આકરો તાપ શ થઇ ચૂકયું છે, આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૯ ડીગ્રીએ પહોંચી ગયું છે.