રાજ્ય આચાર્ય સંઘની ટીમને જહેમત બદલ અભિનંદન પાઠવાયા
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 1 એપ્રિલ 2005 પહેલા ભરતી પામેલા 60,000 જેટલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનો પરિપત્ર કરતા રાજ્ય કર્મચારી મહામંડળ તથા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળના કર્મચારીઓમાં પુનઃ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
જામનગરમાં જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા મહામંડળ દ્વારા ભવ્ય આતશબાજી તેમજ મીઠા મોં કરાવીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરીના કાર્યાલય ખાતે અને જિલ્લા ભાજપ સંગઠનના કાર્યાલય જઈને હોદ્દેદારોની મુલાકાત લઇ, બુકે આપી મીઠામાં કરાવીને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજ્ય શૈક્ષણિક કર્મચારી મહામંડળના પ્રમુખ તથા રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, રાજ્યના અધ્યક્ષ જે.પી. પટેલ વિગેરે દ્વારા આ પરિપત્ર માટે ખાસ જહેમત ઉઠાવવામાં આવી હોય, સમગ્ર રાજ્યના તમામ જિલ્લાના હોદ્દેદારો દ્વારા રાજ્યની ટીમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. સાથે સાથે ઠેર ઠેર મીઠા મોં કરાવીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદ્યાનગરમાં ગેરકાયદે ઓટલા તોડી પડાયા
April 05, 2025 04:22 PMકુંભારવાડામાં ા.૭ લાખના તાંબા-પિતળની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
April 05, 2025 04:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech