કેરીની ચોરીના આરોપમાં આધેડને ઝાડ સાથે બાંધી ઢોર માર મારતા મોત, પૂરાવા છૂપાવવા લાશ કેનાલમાં ફેંકી દીધી, બારડોલીનો ચોંકાવનારો કિસ્સો

  • June 02, 2025 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બારડોલી તાલુકાના અકોટી ગામમાં આંબાવાડીમાં કેરી ચોરીનો આરોપ મૂકી 48 વર્ષીય સુરેશ વર્માની હત્યા કરવામાં આવી છે. મૃતકના પુત્ર સુરજ સુરેશકુમાર વર્માએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી અસ્ફાક અબ્દુલ રઉફ રાયને કેરી ચોરી વેચી નાખ્યાનો આરોપ મૂકી પચાસ હજાર રૂપિયા માગ્યા હતા.


માર મારવાથી આધેડ બેભાન થઈ ગયા હતા

કેરી ચોરી વેચી નાખ્યાનો આરોપ મૂકી આરોપીઓએ સુરેશ વર્માને માર માર્યો હતો. તેમને ઝાડ સાથે બાંધી દીધા હતા. માર મારવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. આરોપીઓએ પુરાવા નષ્ટ કરવા માટે તેમને ગાડીમાં નાખી શામપુરા ગામની નહેરમાં ફેંકી દીધા હતા.


પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. . તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીઓમાં અસ્ફાક રાયન, વિનોદ અગ્રવાલ, મોહમંદ ઉમર મનિહાર, દશરથ મોર્ય અને યાકુબ અબ્દુલ ગફારનો સમાવેશ થાય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application