દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના અમલીકરણ માટે પી.એમ. પોષણ શક્તિ નિર્માણ યોજનાં અંતર્ગત કાર્યરત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના ભાણવડ તાલુકામાં ફતેપુર વાડી શાળા -2, હાથલા વાડી શાળા, જામપર વાડી શાળા -1 તેમજ સાજડીયારી વાડી શાળા ખાતે મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની જગ્યા પર કેન્દ્રોના “સંચાલક-કમ-કુક”ની ભરતી કરવામાં આવશે.
આ માટે લઘુતમ શૈક્ષણિક લાયકાત એસ.એસ.સી. પાસ તથા અરજી કરવાની છેલ્લી તારીખે ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા ન હોવા જોઈએ. અરજી કરવા માટે ઈચ્છુક વ્યકિતઓએ ભાણવડની મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી કચેરી સમય દરમિયાન (જાહેર રજાના દિવસો સિવાય) અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે. અરજી કરવા માટેનો સમયગાળો તા. 30 મે સુધીનો રહેશે. સમયમર્યાદા બાદ કરવામાં આવલી અરજી ધ્યાને લેવામાં આવશે નહિ.
અરજી ફોર્મની સાથે શૈક્ષણિક લાયકાતના સર્ટીફીકેટની નકલ, આધારકાર્ડની નકલ, ચુંટણીકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, તાજેતરના પાસપોર્ટ સાઈઝના બે ફોટા, સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલા જાતિના પ્રમાણપત્રની નકલ, શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ, જન્મતારીખના પુરાવાની નકલ તથા અન્ય જરૂરી આધારો જોડવાના રહેશે તેમ ભાણવડના મામલતદારની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં દેશનું પહેલું બુલેટ રેલ્વે સ્ટેશન તૈયાર: 2029થી ટ્રેનો દોડશે
May 24, 2025 03:06 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા આઠ ઇસમોની થઇ ધરપકડ
May 24, 2025 03:06 PMઅમદાવાદથી ભીલવાડા જતી બસ ડ્રાઈવરને ઝોકું આવી જતાં પલટી મારી ગઈ: ત્રણના મોત
May 24, 2025 03:04 PMપોરબંદરના સુભાષનગર વિસ્તારની ખાડીમાંથી મળ્યો કોહવાયેલો મૃતદેહ
May 24, 2025 03:04 PMમાછીમારોનું તારીખ ૧ જૂનથી ૧૫ ઓગસ્ટ સુધીનું વેકેશન થયુ જાહેર
May 24, 2025 03:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech