પોરબંદર સહિત ગુજરાતના માછીમારોનું વેકેશન તા. ૧ જુનથી ૧૫ ઓગસ્ટ સુધીનું જાહેર થયુ છે. ભારત સરકાર દ્વારા ૩૧ જુલાઇ સુધીનું જાહેર થયુ છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા ચોમાસા દરમ્યાન સમુદ્ર વધુ રફ હોવાથી માછીમારોની માંગણી અનુસંધાને વેકેશન લંબાવવામાં આવ્યુ છે.
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષારભાઇ કોટીયા દ્વારા પોરબંદર જિલ્લાના તમામ માછીમારોે, એસોસીએશન તથા આગેવાનોને જણાવવામાં આવ્યુ હતુ કે ભારત સરકારના કૃષિ, પશુપાલન, ડેરી અને મત્સ્યોદ્યોગ, દિલ્હીના હુકમથી પ્રાદેશિક જળ વિસ્તારની બહાર ઇન્ડીયન એકસકલુસીવ ઇકોનોમીક ઝોન (ઇઝ)માં ફિશીંગ બાન જાહેર કરેલ છે. તેમાં પશ્ર્ચિમ દરિયાઇ કાંઠા વિસ્તારમાં ૧ જૂનથી ૩૧ જુલાઇ ૨૦૨૫ (બંને દિવસોનો સમાવેશ કરતા (૬૧ દિવસ) નો સમયગાળો રાખવામાં આવેલ છે.
ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમો-૨૦૦૩ તથા સરકારના નોટીફિકેશન-૨૦૨૦માં ગુજરાત રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જાહેરનામા મુજબ તા. ૩૧-૭-૨૦૨૪ થી ફિશીંગ બાનમાં ફેરફાર સમયગાળામાં ફેરફાર જાહેર કરવામાં આવેલ છે.
જે ધ્યાને લઇ પોરબંદર જિલ્લાના દરિયાઇકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા. ૧જુન-૨૦૨૫ થી તા.૧૫ ઓગસ્ટ ૨૦૨૫ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રાજ્યમાં આ પ્રતિબંધમાંથી નોન મોટરાઇઝડ ક્રાફટ (લાકડાની બિનયાંત્રિક એક લકડી હોડી અને શઢવાળી હોડી) તથા પગડીયા માછીમારોને બાકાત રાખવામાં આવે છે.આ આદેશનો ભંગ કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો-૨૦૦૩ની કલમ -૬/૧(ટ)ના ભંગ બદલ કલમ-૨૧/૧ (ચ) મુજબ દંડને પાત્ર થશે.
પોરબંદરના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક તુષારભાઇ કોટીયાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ઓગસ્ટ મહિનાના આરંભે પણ અરબી સમુદ્ર રફ હોય છે અને તેથી માચ્છીમારો ફિશીંગ માટે નીકળે પછી સંભવિત હવામાનને કારણે તેઓને પરત ફરવા માટે આદેશ આપવા પડતા હોય છે અને તેનાથી માછીમારોને મોટી નુકશાની થતી હોય છે આથી ગુજરાત સરકાર દ્વારા ફિશીંગના સમયગાળામાં ફેરફાર જાહેર કરીને ૧૫ ઓગસ્ટ સુધી માચ્છીમારી ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને આ પ્રકારની માંગણી માચ્છીમાર આગેવાનો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી હતી તે અનુસંધાને માચ્છીમારો અને બોટમાલીકોના હિતમાં સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech