ખંભાળિયામાં દેવભુમિ દ્વારકા જિલ્લા ભરવાડ સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ

  • June 02, 2025 12:16 PM 


દેવભૂમિ દ્વારકા જિલ્લાના શ્રી સમસ્ત ભરવાડ જ્ઞાતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ખંભાળિયાના ટાઉનહોલ ખાતે ગઈકાલે રવિવારે સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ અને ૧૨ માં ઉચ્ચ ટકાવારી હાંસલ કરેલા વિધાર્થીઓ તેમજ સરકારી ક્ષેત્રે નોકરી મેળવનાર ભરવાડ સમાજના ૨૦૦ થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો, શિક્ષણ પ્રેમીઓ અને અન્ય સમાજના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 



આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના અગ્રણી અને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન પી.એસ. જાડેજા, ભરવાડ સમાજના અગ્રણી હરિભાઈ છગનભાઈ ભરવાડ (બાવડા), ગાંધીનગરથી નિજાનંદ ગ્રૂપના હીરાભાઈ ભરવાડ અને ડાયાભાઈ ભરવાડ, ગોંડલના પ્રફુલભાઈ ટોલીયા, ભાવનગરના કે.કે. ભરવાડ, મોરબીના જયેશભાઈ ગોલતર, રાણાવાવ વછરાજ ધામના મહંત જગુઆતા, જેટકોના ડેપ્યુટી એન્જિનિયર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર આગેવાન કે.એન. સોલંકી, ભાટિયા ઠાકર જગ્યાના મહંત રવિનાથબાપુ, ખંભાળિયા વોહરા સમાજના પ્રમુખ ઈબ્રાહીમભાઈ મકાટી, દાતા ગામના સરપંચ જશવંતસિંહ જાડેજા તેમજ જામનગર ભરવાડ સમાજના યુવા અગ્રણીઓ રાજુભાઈ જોગસવા, મનીષભાઈ વકાતર અનેકમલેશભાઈ ખાટરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જામનગર-દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ તેમજ જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ દ્વારા શુભેચ્છા સંદેશ દ્વારા સન્માનિત વિદ્યાર્થીઓ અને આયોજકોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. સાંસદ પૂનમબેન માડમના શુભેચ્છા સંદેશ સાથે જીતભાઈ માડમ પણ આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.


આ ઉપરાંત ભરવાડ સમાજના વડીલો માતાઓ બહેનો અને યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જે ભરવાડ સમાજની શિક્ષણ પ્રત્યેની જાગૃતતા નું દર્શન કરાવે છે. આ સન્માન સમારંભ ભરવાડ સમાજના શિક્ષણ પ્રત્યેના ભારે ઉત્સાહ અને પ્રગતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ટ્રોફી, બુક્સ, પ્રમાણપત્રો અને પ્રોત્સાહક ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આ કાર્યક્રમની ખાસ વાત એ હતી કે ભરવાડ સમાજના યુવાનો અને યુવતીઓએ સમાજની સાંસ્કૃતિક ઓળખ એવો હુડા રાસ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ ઉપરાંત, ભરવાડ સમાજની દીકરીએ તલવાર રાસની શાનદાર રજૂઆત કરી, જેણે સૌનું દીલ જીતી લીધું. ઉપસ્થિત આગેવાનોએ ૨૧ મી સદીમાં શિક્ષણનું અનન્ય મહત્વ દર્શાવતાં, ભરવાડ સમાજના યુવાનોને શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરવા પ્રેરણા આપી હતી.


ખાસ કરીને, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવનિર્મિત હીરાભાઈ કડવાભાઈ સરસીયા કુમાર છાત્રાલય, ઉલ્લેખ કરતાં આગેવાનોએ જણાવ્યું કે, આ છાત્રાલય શિક્ષણ ક્ષેત્રે પરિવર્તનનું પ્રતીક બનશે. આયોજકોએ ભરવાડ સમાજને અન્ય સમાજોની સાથે તાલ મિલાવી, શિક્ષણ અને પ્રગતિના માર્ગે આગળ વધવા માટે કટિબદ્ધ હોવાનું વચન આપ્યું હતું.
​​​​​​​

આ કાર્યક્રમને સફળ બનાવવામાં જિલ્લાના ભરવાડ સમાજના યુવાનોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી. આ ભવ્ય સન્માન સમારંભ ભરવાડ સમાજની શૈક્ષણિક પ્રગતિ, સાંસ્કૃતિક વારસો અને એકતાનું ઉજ્જવળ ઉદાહરણ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application