એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) રાજસ્થાનના કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતની સરકારમાં મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા 2850 કરોડ રૂપિયાના ચિટ ફંડ કૌભાંડના સંદર્ભમાં પાડવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડી પર આરોપ લગાવ્યો કે, 'ઈડીની ટીમ કોઈપણ સૂચના આપ્યા વિના સીધી સિવિલ લાઈન્સ સ્થિત મારા ઘરે પહોંચી.' આ ઉપરાંત તેમણે આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી છે.
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસે ઈડીની કાર્યવાહી પર કહ્યું કે, 'હું ઈડીટીમ દ્વારા કરવામાં આવેલા દરોડાની પ્રતિક્રિયા આપીશ. મને આવી કોઈ કાર્યવાહીથી ડર નથી, પરંતુ ભાજપે ઈડીનો ઉપયોગ કરીને રાજકારણ ન કરવું જોઈએ.'
અહેવાલો અનુસાર, કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ ખાચરિયાવાસના ઘરે ઈડીની આ કાર્યવાહી દેશના સૌથી ચર્ચિત 2850 કરોડ રૂપિયાના પર્લ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડચિટ ફંડ કૌભાંડ સાથે સંબંધિત છે. પીએસીએલ કેસમાં ખાચરિયાવાસની ભૂમિકાની તપાસ ચાલી રહી છે. ઇડીને શંકા છે કે પ્રતાપ સિંહની આ કૌભાંડમાં પરોક્ષ સંડોવણી રહી છે અને તેમને તેનો ફાયદો પણ મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech