સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લૂંટરી દુલ્હનના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લ ા ક્રાઇમ બ્રાન્ચને આવી લૂંટરી દુલ્હન ગેંગને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ આખી ઘટના અંગે એ.એસ.પી. જીતેન્દ્ર અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામના અજય સોલંકીએ સુત્રાપાડાના કોળી નરસિંગ વાજા સાથે ઙ્કરિચય બાદ જુનાગઢના શમીમબેન ઉર્ફે સીમાબેન ખેમરાજ જોશી અને દીપકભાઇ હીરાલાલ નાગદેવનો થયેલ ત્યારબાદ આ ત્રણેય દલાલોએ રાજકોટના રીયાજ કરીમભાઇ મીરજા અને કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજભાઇ મીરજાનો સંપર્ક કરાવેલ હતો. આ તમામ લોકોએ કાવતરૂ કરી ફરીયાદી અજય પાસે થી કુલ રૂા.૧.૨૪ લાખ લઇ દલાલ રીયાજે પોતાની સાથે આવેલ કૌશરબાનું વા./ઓ. અશરફ યુસુફ કાન્સીનું રીન્કલ અનીલભાઇ પંડયા નામનુ ખોટુ આધારકાર્ડ તથા લીવીંગ સર્ટી બનાવી ખોટો દસ્તાવેજ ઉભો કરી નોટરી મારફત અમરેલી જીલ્લ ાના બાંટવા દેવળી ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી કરાવી જેમાં ઉપરોકત તમામ દલાલોએ સાક્ષી તરીકેની પોતાની સહી કરી આપેલ ત્યારબાદ આ કૌશરબાનું ફરીયાદીના હરણાસા ગામે ઘરે ૧૦ દિવસ રોકાયા બાદ ફરાર થઇ ગયેલ જે બાબતે ફરીયાદીએ આ દલાલોનો સંપર્ક કરતા તેઓ દ્વારા ખોટા ગુન્હામાં સંડોવી દેવાની ધમકી આપેલ યુવકે પોલીસને ફરિયાદ અરજી આપેલ હતી જેમાં ગીર સોમનાથ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.બી.વોરા અને સ્ટાફના એ.એસ.આઇ. રામદેવસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. ભુપેન્દ્રસિંહ ચાવડાએ ટેકનિકલ એનાલીસીસ તથા હયુમન સોર્સીસ દ્વારા તપાસ કરતા આ ફરાર થયેલ યુવતિ કૌશરબાનુ ઉર્ફે રીન્કલ અનીલભાઇ પંડયા રહે.વિરમગામ જી.અમદાવાદ વાળીને નવસારી ખાતેથી શોધી કાઢી આ છેતરપીંડીમાં મદદગારી કરનાર અન્ય દલાલ કોમલ ઉર્ફે મુસ્કાન રીયાજ મીરજાને આણંદ ખાતેથી તથા શમીમબેન ઉર્ફે સીમાબેનને જુનાગઢ ખાતેથી તથા નરસીંગભાઇ વાજાને સુત્રાપાડા ખાતેથી શોધી કાઢી આ ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ હેરાલ્ડ કૌભાંડ: EDની તપાસ શરૂ થયા બાદ પણ મની લોન્ડરિંગ, જાહેરાતના નામે ભેગા કરાયા પૈસા
April 16, 2025 10:32 PMરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMઅમેરિકાએ ચીન પર 100% ટેરિફ વધાર્યો, કુલ ટેરિફ થયો 245%, ચીને કહ્યું ટેરિફ વોરથી નથી ડરતા
April 16, 2025 07:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech