ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા શ થતી પરીક્ષામાં પરીક્ષાના પ્રારંભથી લઈને પ્રશ્નપત્ર પરત આવવા સુધી પાટા એપ્લિકેશન ના માધ્યમથી પ્રશ્નપત્ર નું ટ્રેકિંગ કરવામાં આવશે આ માટે રાયભરમાં અંદાજ ૧૪૦ જેટલા સ્ટ્રોંગ મ નક્કી કરવામાં આવ્યા છે આ તમામ સ્ટ્રોંગ મને થ્રી લેયર સિકયુરિટી મૂકવામાં આવી છે આ માટે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સ્ટ્રોંગ મ ની વચ્ચેથી મુલાકાત લેવા ઉચ્ચ કક્ષાએથી આદેશ કરવામાં આવ્યા છે.
ધોરણ.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારભં થશે. શિક્ષણ બોર્ડ દ્રારા પરીક્ષાના પ્રારભં પહેલા રાયના અંદાજે ૧૪૦ જેટલા સ્ટ્રોંગમમાં પ્રશ્નપત્રો મોકલી આપાવામાં આવ્યાં છે, યાં થ્રિ–લેયર સિકયુરીટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે. એટલુ જ નહી, બોર્ડ દ્રારા તમામ ડીઈઓને સુચના આપવામાં આવી છે કે, સ્ટ્રોંગમની ઓચિંતી મુલાકાત લેવામાં આવે. એ સિવાય સ્ટ્રોંગમમાંથી નિકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષા ખડં સુધી પહોંચે તે માટે પાટા એપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવશે.
ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા માટેના પ્રશ્નપત્રો પણ પ્રિન્ટ થઈને તૈયાર થયા બાદ રાજયના તમામ જિલ્લ ાઓમાં તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગમમાં પ્રશ્નપત્રો મોકલી દેવામાં આવ્યા છે. અને આ પ્રશ્નપત્રો સ્ટ્રોંગમમાં આવ્યા બાદ સ્ટ્રોંગમ સીલ કરી દેવાયા હોવાનું પણ જાણવા મળે છે. આ માટે સમગ્ર રાયમાં ૧૪૦ જેટલા સ્ટ્રોંગરૂમ તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સ્ટ્રોંગમમાં જે તે જિલ્લ ાના પ્રશ્નપત્રો મોકલી દેવાયા હોવાનું જાણવા મળે છે. અમદાવાદ શહેરના પણ ૧૨ જેટલા સ્ટ્રોંગમમાં પ્રશ્નપત્રો આવી ગયા હોવાનું જાણવા મળે છે. પ્રશ્નપત્રોના વાહનો સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ઉપરાંત પ્રશ્નપત્રો જે વાહનોમાં લઈ જવામાં આવ્યા હતા તેમાં પણ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ લગાવેલી હોવાથી પ્રશ્નપત્રો પોતાના નિર્ધારીત ટ દ્રારા જ સ્ટ્રોંગમ સુધી પહોંચ્યા છે કે કેમ તેની પણ ખાતરી કરવામાં આવી હતી. તમામ પ્રશ્નપત્રો સ્ટ્રોંગમમાં પહોંચ્યા બાદ ત્યાં થ્રી લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળે છે. સ્ટ્રોંગમમાંથી નિકળેલા પ્રશ્નપત્રો નિયત પરીક્ષા કેન્દ્રો સુધી અને ત્યાંથી પરીક્ષાખડં સુધી પહોંચે તે માટે પાટા એપ્લિકેશનના માધ્યમથી પ્રશ્નપત્રોનું ટ્રેકિંગ કરવામાં આવશે.
પ્રશ્નપત્રો ઝોનલ કચેરીથી નીકળે ત્યારે તેના ફોટો સાથેની વિગતો એપ્લિકેશનમાં અપલોડ કરાશે. ત્યારબાદ વાહનોમાં પ્રશ્નપત્રો નક્કી કરેલા સેન્ટર સુધી પહોંચે તેનું પણ ટ્રેકિંગ થશે. પરીક્ષા સ્થળ ખાતે આવ્યા બાદ પણ પ્રશ્નપત્રોના બંડલના ફોટો અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ પરીક્ષા ખંડમાં પહોંચેલા બંડલોનું પણ ટ્રેકિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech