પહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત

  • April 22, 2025 10:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક ગુજરાતી પ્રવાસીનું દુઃખદ અવસાન થયું છે. મૃતકનું નામ શૈલેષભાઈ હિંમતભાઈ કલાથિયા છે, જે મૂળ સુરતના વતની હતા અને હાલમાં મુંબઈમાં રહેતા હતા. તેમનો જન્મ તા. ૨૩/૦૪/૧૯૮૧ના રોજ થયો હતો.


સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આ હુમલામાં શૈલેષભાઈનું મોત થયું છે. જો કે, તેમના પત્ની શીતલ કલાથિયા, પુત્રી નીતિ કલાથિયા અને પુત્ર નક્ષ કલાથિયા સુરક્ષિત છે અને હાલમાં વહીવટીતંત્રની દેખરેખ હેઠળ છે. શૈલેષભાઈના કૌટુંબિક ભાઈ મયૂરભાઈ દુફણિયા પણ તેમના પરિવાર સાથે સંપર્કમાં છે.


વહીવટીતંત્ર મૃતકના પરિવાર સાથે સતત સંપર્કમાં છે અને તેમને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આ દુઃખદ ઘટનાથી ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application