આતંકવાદીએ મારા પતિને ભેલપુરી ખાતી વખતે માથામાં ગોળી મારી દીધી, પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવી ઘટના

  • April 22, 2025 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો છે. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે વ્યક્તિના મોત થયા હતા અને 10 જેટલા લોકો ઘાયલ થયા હતા, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના પહેલા જ થયો છે, જેના કારણે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલાના સાક્ષીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.


આતંકવાદીએ પતિને ભેલપુરી ખાતી વખતે ગોળી મારી દીધી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિનું ગોળી મારીને મોત થયું હતું. સોશિયલ મીડિયા અને સ્થાનિક સમાચારોમાં વાયરલ થયેલા આ વીડિયોમાં, એક મહિલાએ દુઃખદ શબ્દોમાં કહ્યું કે આતંકવાદીઓએ તેના પતિને ફક્ત એટલા માટે ગોળી મારી દીધી કારણ કે તેણીએ કહ્યું હતું કે તે મુસ્લિમ નથી.


મારા પતિને બચાવો - મહિલાની અપીલ

પહેલગામની તાજેતરની તસવીરમાં, એક મહિલા લોકોને તેના પતિને બચાવવા માટે અપીલ કરી રહી છે. આ ભાવનાત્મક અપીલથી સમગ્ર દેશમાં સહાનુભૂતિની લહેર ઉભરી આવી છે.


પીએમ મોદીએ અમિત શાહ સાથે વાત કરી

આ ઘટના અંગે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે. પીએમ સાથે વાત કર્યા પછી, અમિત શાહે દિલ્હીમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે 6થી 8 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી.
પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News