ડાંગરવાડા ગામમાં બિમારીથી કંટાળીને વૃઘ્ધે વખડા ધોળ્યા
જોડીયા તાલુકાના કોઠારીયા આમરણમાં રહેતા એક વૃઘ્ધનું હાર્ટએટેક આવતા મૃત્યુ નિપજયું છે, જયારે ડાંગરવડા ગામની સીમમાં બિમારીથી કંટાળી એક વૃઘ્ધે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે.
જોડીયા તાલુકાના કોઠારીયા આમરણ ગામમાં રહેતા ભરતસિંહ લાલુભા જાડેજા (ઉ.વ.૬૫)ને હૃદયનો હુમલો આવતા બેભાન બની ગયા હતા, દરમ્યાન સારવારમાં તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે પ્રવિણસિંહ જાડેજાએ જોડીયા પોલીસમાં ગઇકાલે જાણ કરી હતી.
બીજા બનાવમાં કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામમાં રહેતા ખેતીકામ કરતા જેઠાભાઇ મોહનભાઇ વોરા (ઉ.વ.૭૦) નામના વૃઘ્ધને ઘણા સમયથી ડાયાબીટીસ તેમજ બ્લડ પ્રેશરની બિમારી હોય જેથી બિમારીથી કંટાળીને ગત તા. ૭ના સાંજના સુમારે ગામની સીમમાં ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ થયુ હતું. આ અંગે હાલ રાજકોટ રહેતા જીતુભાઇ વોરા દ્વારા ગ્રામ્ય પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે વિગતોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય, વીજ જોડાણના નિયમોમાં કર્યા ઐતિહાસિક ફેરફાર
April 22, 2025 06:35 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech