જામનગરમાં ગળાફાંસો ખાઇ યુવાનનો આપઘાત

  • May 30, 2025 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના શકિત સોસાયટી વિસ્તારમાં રહેતા એક યુવાન કોઇ કારણસર ગળાફાંસો ખાઇ જીવતર ટુંકાવી લીધુ છે.

જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ શકિત સોસાયટીમાં રહેતા રવિ ભારથી ભગવાન ભારથી ગોસ્વામી (ઉ.વ.૩૨) નામના યુવાને કોઇ કારણસર ગઇકાલે પોતાને ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયુ હતું.

આ બનાવ અંગે શકિતનગર સોસાયટીમાં રહેતા રીક્ષા ડ્રાઇવીંગ કરતા ભગવાન ભારથી ગોસ્વામીએ સીટી-સી ડીવીઝનમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઇ ઝાલા દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા તપાસ લંબાવી છે, યુવાનના આત્મઘાતી પગલાના કારણે પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. 

શાક માર્કેટ નજીક વર્લીબાઝ ઝબ્બે

જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તાર, જલારામ પાર્કમાં રહેતા ભરત મે‚ મેરાણી નામના શખ્સને વેરશી વાડના ઢાળીયા પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૨૦૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application