પતંજલિ આયુર્વેદ દ્રારા તેની દવાઓ માટે કરવામાં આવેલા 'ભ્રામક દાવાઓ' મામલે ચાલી રહેલા કેસ અંતર્ગત આજે સુનાવણીની મુદત હોઇ યોગ ગુરૂ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ આજે સુપ્રીમમાં હાજર થશે. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને કોર્ટની અવમાનનાની નોટિસ પાઠવી હતી અને તેમને હાજર થવાનો આદેશ આપ્યો હતો.
બાબા રામદેવ અને પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણ આજે પતંજલિ આયુર્વેદ દ્રારા તેની દવાઓ માટે કરવામાં આવેલા 'ભ્રામક દાવાઓ' મામલે સુપ્રીમ કોર્ટમાં હાજર થશે. અગાઉ સુપ્રીમ કોર્ટે પૂછયું હતું કે અમારી નોટિસ છતાં પતંજલિએ હજુ સુધી જવાબ કેમ દાખલ કર્યેા નથી.સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શા માટે પતંજલિ અને તેના મેનેજિંગ ડિરેકટર સામે અવમાનનાનો કેસ દાખલ ન કરવામાં આવે. કેન્દ્રએ કોર્ટને કહ્યું કે તે આ કેસમાં નવું વધારાનું સોગંદનામું દાખલ કરશે. કોર્ટે કેન્દ્રને અગાઉ દાખલ કરેલ એફિડેવિટ પાછી ખેંચવાની પરવાનગી આપી હતી. જોકે, બાબા યોગગુ રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ એફિડેવિટ દાખલ કરીને સુપ્રીમ કોર્ટમાં માફી માંગી છે.
ઉલેખનીય છે કે પતંજલિ આયુર્વેદ લિમિટેડે ૨૧ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ સર્વેાચ્ચ અદાલતને ખાતરી આપી હતી કે તે કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કરશે નહીં, ખાસ કરીને તેના દ્રારા ઉત્પાદિત અને માર્કેટિંગ ઉત્પાદનોની જાહેરાત અથવા બ્રાન્ડિંગ સંબંધિત. કંપનીએ જસ્ટિસ હિમા કોહલીની આગેવાની હેઠળની બેંચને ખાતરી આપી હતી કે ઔષધીય અસરકારકતાનો દાવો કરતું અથવા દવાની કોઈપણ સિસ્ટમ વિદ્ધ કોઈપણ બેદરકારીભયુ નિવેદન કોઈપણ સ્વપમાં મીડિયામાં બહાર પાડવામાં આવશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech