સંસદનું શિયાળુ સત્ર ૨૦૨૪ ચાલી રહ્યું છે ત્યારે તેમાં ઉઠાવવામાં આવેલા એક સવાલના જવાબમાં સરકારે સ્પષ્ટ્ર કહ્યું કે હાલના નિયમો અનુસાર, વેઇટલિસ્ટમાં જેમનું નામ હોય તેવા મુસાફરોને આરક્ષિત કોચમાં મુસાફરી કરવાની મંજૂરી નથી. વેઇટિંગ લિસ્ટના મુસાફરોની સંખ્યાની વિગતો જાળવવામાં આવતી નથી. બીજી તરફ વધારાની માંગને પહોંચી વળવા માટે, રેલ્વે વિશેષ ટ્રેનો ચલાવે છે અને અન્ય સમયે બેઠક ક્ષમતામાં વધારો કરે છે.
સરકારે રાયસભામાં જણાવ્યું હતું કે હાલના નિયમો અનુસાર, વેઇટલિસ્ટ મુસાફરોને ટ્રેનોના આરક્ષિત કોચમાં મુસાફરી કરવા માટે અધિકૃત નથી. રાયસભાના સભ્ય સંજય સિંહ દ્રારા પૂછવામાં આવેલા પ્રશ્નના લેખિત જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 'અનામત કોચમાં મુસાફરી કરતા વેઇટલિસ્ટ મુસાફરો અથવા આરક્ષિત કોચમાં અનધિકૃત રીતે મુસાફરી કરતા મુસાફરોની વિગતો જાળવવામાં આવતી નથી.' નોંધનીય છે કે ભારતમાં તહેવારો દરમિયાન રેલવેમાં રિઝર્વેશનને લઈને ઘણી લડાઈ થાય છે. વેઇટિંગ લિસ્ટના મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે.
સંજય સિંહે મંત્રીને છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં કુલ કેટલા મુસાફરો આવા છે તેની વિગતો આપવા કહ્યું હતું જેમને 'કન્ફર્મ' ટિકિટો ન મળવાને કારણે વેઇટલિસ્ટ ટિકિટ પર મુસાફરી કરવી પડી હતી.
તેમણે વેઇટિંગ લિસ્ટેડ મુસાફરોની સુવિધા માટે રેલવે દ્રારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે પણ માહિતી માંગી હતી.
વૈષ્ણવે કહ્યું, 'ભારતીય રેલ્વે હેઠળ ચાલતી તમામ ટ્રેનોની વેઇટિંગ લિસ્ટની સ્થિતિનું નિયમિતપણે નિરીક્ષણ કરવામાં આવે છે.
વધારાની માંગને પહોંચી વળવા માટે, રેલ્વે તહેવારો, રજાઓ વગેરે દરમિયાન વિશેષ ટ્રેનો પણ ચલાવે છે અને સ્લીપર કલાસ કોચ સહિત વિવિધ શ્રેણીના મુસાફરો માટે કાયમી અને અસ્થાયી એમ બંને પ્રકારની ટ્રેનોમાં વધારાની સીટ પૂરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech