રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા અને નિયામક મંડળના સભ્યો દ્વારા સંઘ સાથે જોડાયેલા હજારો દૂધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવામાં આવ્યો છે. હાલની ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાનાં ઉદેશથી સંઘનાં નિયામક મંડળે પ્રતિ કિલોફેટે રૂ.૧૦નો ભાવ વધારો કરીને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૮૦૦ કરવાનો નિર્ણય કર્યો છે.
દૂધ મંડળીઓ દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૫ ચૂકવશે
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૦ ચૂકવવામાં આવી રહ્યો છે. દૂધ સંઘ દ્વારા તા. ૧૧/૦૪/૨૦૨૫થી દૂધ મંડળીઓને પ્રતિકિલો ફેટે રૂ.૮૦૦ ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલોફેટનો ભાવ રૂ.૭૯૫ ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલ ૫૦ હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. આ જાહેરાત દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલિયા તરફથી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech