ભાટીયાની જાણીતી સેવા સંસ્થા કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ તથા ખંભાળિયાની સંસ્થા માનવ સેવા સમિતિના સંયુક્ત ઉપક્રમે મંગળવાર તારીખ 11 મીના રોજ ભાટીયાની લોહાણા મહાજન વાડી ખાતે વિના મૂલ્યે દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લંડન (યુ.કે.) ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને દાંત અંગેની સારવાર વિના મૂલ્યે કરી આપવામાં આવશે.
આ સેવા કાર્ય માટે સ્વ. રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી પરિવાર સહિત યુકે અને કેનેડાના દાતા સદગૃહસ્થોનો આર્થિક સહયોગ સાંપડ્યો છે. મંગળવારે સવારે 9 થી 1 તેમજ સાંજે ત્રણથી પાંચ અને બુધવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી આ કેમ્પનો મહત્તમ લાભ લેવા ભાટીયા તથા આસપાસના વિસ્તારના લોકોને કિશોર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ દત્તાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ કેમપને સફળ બનાવવા ટ્રસ્ટના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech