દાહોદ મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડના નાના દીકરા કિરણની પોલીસે ધરપકડ કરી છે. શનિવારે બળવંત ખાબડની ધરપકડ બાદ આજે વહેલી સવારે કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કિરણ ખાબડને વડોદરા-હાલોલ હાઇવે પરથી પકડી પાડ્યો હતો. હાલ તેમને પોલીસ સ્ટેશનમાં લઈને આવવામાં આવ્યા છે તેમની પૂછપરછ ચાલુ છે.
મંજૂર થયેલા કામોના નાણાં ચૂકવાયા બાદ કામ થયા
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજના કૌભાંડ મામલે પાંચ કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી હતી. દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરી દ્વારા ધાનપુર અને દેવગઢબારિયા તાલુકા પંચાયત હસ્તકના મનરેગા કામોમાં થયેલી કામગીરીના ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ થતા મનરેગા યોજના માં માટી મેટલ રોડ જેવા કામગરો ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી એલ વન આવતી એજન્સીને કામ આપવામાં આવે છે જે કામોમાં તપાસ કરાતા મંજૂર થયેલા કામોના નાણાં ચૂકવાયા બાદ કામ થયા નથી .
કાયદાકીય કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી
આ બાબતે જિલ્લા વિકાસ એજન્સીના નિયામક દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે જવાબદાર કર્મચારીઓને એજન્સીના સંચાલકો વિરુદ્ધ 2011થી લઈને 2024 સુધીમાં 71 કરોડના કામને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમામ કામોની તપાસ કરી કસૂરવાર સામે કાયદાકીય કાર્યવાહી માટે સરકારની મંજૂરી માંગવામાં આવી હતી.
35 જેટલી એજન્સી સામે ફરિયાદ દાખલ કરી હતી
આ તમામ વચ્ચે ગુજરાત સરકારના મંત્રી અને દેવગઢબારિયા બેઠકના ધારાસભ્ય બચુભાઈ ખાબડ પણ વિવાદમાં આવ્યા હતા કે, 35 જેટલી એજન્સી સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શ્રી રાજ ટ્રેડર્સ શ્રી રાજ કન્સ્ટ્રકશન નામની બે એજન્સીઓ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના નામે આવેલી છે. સમગ્ર દાહોદ જિલ્લાના આ બનાવે મંત્રી પુત્રોની સંડોવણીને લઈને ભારે ચર્ચા થઈ હતી અને રાજકીય વાતાવરણ ગરમાયું હતું આ મામલે કોંગ્રેસ દ્વારા આ મંત્રી પુત્રોની ધરપકડ અને મંત્રીના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech