જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા પીઆઇ એમ.બી. ગજજરના માર્ગદર્શન સુચના મુજબ હાલમાં ચાલી રહેલ રાષ્ટ્રીય માર્ગ સલમતી માસ-૨૦૨૪ તા. ૧૫-૧ થી તા. ૧૪-૨ દમ્યાન ટ્રાફિક શાખા જામનગર દ્વારા લોકોમાં ટ્રાફિક નિયમો અંગેની જાગૃતી લાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન યોજી જે અન્વયે તા. ૬-૨ના રોજ ડીકેવી કોલેજના કેમ્પસ ખાતે ટ્રાફિક અવેનરનેશ માટે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ડીવાયએસપીના અઘ્યક્ષ સ્થાને તેમજ ટ્રાફિક પીઆઇ ગજજર તથા પીએસઆઇ દ્વારા ટ્રાફિક શાખાના જવાનોને સાથે રાખીને કાર્યક્રમમાં હુશેન મેડીવાલા દ્વારા ટ્રાફીક અવેરનેશ બાબતે લેકચર આપવામાં આવ્યુ હતું જેમાં ડીકેવી કોલેજના પ્રિન્સીપાલ રાજેશ પુરોહીત, ઘેલાણી, કરણસિંહ રાઠોડ તેમજ એકેડેમીક સ્ટાફની હાજરીમાં આશરે ૬૦૦ વિધાર્થીઓ ઉપસ્થીત રહયા હતા, કાર્યક્રમના અંતે ટ્રાફિક અવેરનેશ જાગૃતી લાવવા અંગેના શપથ લેવડાવી સફળ આયોજન કર્યુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech