લુણસર ગામ નજીકથી સ્કોર્પીઓ કારમાં યુવાનનું અપહરણ કરી માર મારનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ભોગ બનનારને મુકત કરાવ્યો હતો અપહરણના ગુનામાં વપરાયેલ કાર કબજે લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
થાનગઢ તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઈ ભૂંડીયા (ઉ.વ.૩૫) નામના યુવાને અગાઉ વર્ષ ૨૦૧૫ ની સાલમાં ધંધા માટે ઉછીના પિયા ત્રીસ લાખ લીધા હતા જેમાંથી દસ લાખ પરત આપી દીધા હતા અને બીજા પૈસા નોટબંધી વખતે બાકીના વીસ લાખ જૂની નોટો આપી હિસાબ પૂરો કરી દીધો હતો છતા પણ આરોપી બ અને ફોનમાં પિયા મામલે ઉઘરાણી કરતો હતો લીલાભાઈ પોતાની કાર લઈને લુણસર ગામ નજીકથી જતો હોય ત્યારે આરોપીઓએ સ્કોર્પીઓ કારમાં આવી યુવાનની કાર સાથે કાર અથડાવી ધોકા વડે કારમાં નુકશાન કયુ હતું અને યુવાનનું કારમાં અપહરણ કરી લઇ ગયા હતા જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી અને અપહરણના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ખોડા રણછોડભાઈ સેફાત્રા, ગોપાલ ગેલાભાઈ સેફાત્રા રહે બંને ખેતરડી તા. હળવદ અને મેલા હમીર સેફાત્રા રહે ચુંપણી તા. હળવદ એમ ત્રણ આરોપીને ઝડપી લઈને ગુનામાં વપરાયેલ કાર જીજે ૧૩ એન એન ૧૫૨૯ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફિલ્મ નિર્માતા અયાન મુખર્જીના કાકા રોનો મુખર્જીનું નિધન
May 28, 2025 08:41 PMઅમદાવાદ: બાળકીને ફાડી ખાનાર 'રોકી' ડોગનું સારવાર દરમિયાન મોત, જીવલેણ રોગથી પીડાતો હતો
May 28, 2025 08:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech