રાજકોટમાં ઢેબર રોડ પર શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને રાજનગર નજીક ઓર્ચિડ હોસ્પિટલ ધરાવતા તબીબની લાશ લોધિકાના મોટા વડા નજીક આવેલી પોતાની વાડીની પાસે આવેલા ડેમમાંથી મળી આવતા મેટોડા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.
પ્રા વિગત મુજબ બહેરામૂંગા સ્કૂલ પાસે શ્રમજીવી સોસાયટીમાં મંત્રમ મકાનમાં રહેતા અને રાજનગર નાનામવા નજીક ઓર્ચિડ હોસ્પિટલ ધરાવતા બાળરોગના નિષ્ણાતં સિનિયર તબીબ જયેશભાઇ હંસરાજભાઇ ભૂત (ઉ.વ.૭૧)નો મૃતદેહ ગત સાંજે સાતેક વાગ્યે લોધીકા પાસેની મોટાવડા નજીક આવેલી તેમની વાડી પાસેના ડેમમાંથી બેભાન હાલતમાં મળી આવતા મેટોડા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તબીબના પરિવારને જાણ કરતા પરિવારજનો દોડી આવ્યા હતા અને પોલીસે પંચરોજકામ કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડો હતો. તબીબને સંતાનમાં બે પુત્ર છે અને જે ઓર્ચિડ હોસ્પિટલમાં પ્રેકિટસ કરી રહ્યા છે. તબીબે આપઘાત કર્યેા કે અકસ્માતે ડેમના પાણીમાં પડી ગયા કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવના પગલે પરિવાર અને તબીબ આલમમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMજોડીયાના કેશીયા નજીક થયેલી લુંટની ફરીયાદ ખોટી નીકળી
April 07, 2025 12:56 PMખંભાળીયાથી રાજસ્થાન ગયેલા યુવાનોને અકસ્માત નડયો : બે મિત્રના મોત
April 07, 2025 12:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech