ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં યુનિફોર્મ સિટીઝનશિપ કોડ લાગુ થવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વિધાનસભા ચૂંટણી બાદ રાયમાં સમાન નાગરિકતા સંહિતા લાગુ કરવાનું વચન આપ્યું હતું, જે હવે મુખ્યમંત્રી પૂર્ણ કરવા જઈ રહ્યા છે. આજે સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કયુ કે સમિતિ દહેરાદૂનમાં સવારે ૧૧ વાગ્યે ડ્રાટ સબમિટ કરશે. મુખ્યમંત્રી ધામીએ રાજયમાં યુસીસી લાગુ કરવા માટે ૫ સભ્યોની સમિતિની રચના કરી હતી. આ ડ્રાટ તૈયાર કરવા માટે સમાજના દરેક વર્ગના ૨.૫ લાખ લોકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જેની જવાબદારી રચાયેલી સમિતિને સોંપવામાં આવી હતી. આ સમિતિએ દરેક વિભાગના સૂચનો લઈને આ ડ્રાટ તૈયાર કર્યેા છે.
સીએમ ધામીએ સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાના હેતુથી ડ્રાટ તૈયાર કરવા માટે રચાયેલી સમિતિ આજે દહેરાદૂનમાં સવારે ૧૧ વાગ્યે ડ્રાટ સબમિટ કરશે. જેની સમીક્ષા કર્યા બાદ અમે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાયમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં આગળ વધીશું.
તેમણે આગળ લખ્યું, રાયના તમામ લોકો માટે આજનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે, યારે આપણે દેશના સફળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત–શ્રે ભારતના વિઝનને સાકાર કરીને વધુ તાકાત સાથે આગળ વધવાના છીએ. આજે રાય સરકાર તરફથી ડ્રાટ મળ્યા બાદ મુખ્યમંત્રી ધામી ૫ ફેબ્રુઆરીએ વિધાનસભા સત્રમાં ડ્રાટ રજૂ કરશે.
તાજેતરમાં, મુખ્યમંત્રી ધામીએ કહ્યું હતું કે સરકાર જનતાને આપેલા વચનો પૂરા કરવા જઈ રહી છે. ૨ ફેબ્રુઆરીએ યુસીસી પર જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ સરકારને ડ્રાટ સુપરત કરશે. આ પછી, સમિતિના અહેવાલ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ તેનો અમલ કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech