બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણ સામેનો વિરોધ ધીમે ધીમે હિંસક સ્વરૂપ લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વિદ્યાર્થીઓના આક્રમક પ્રદર્શનમાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ સાથે આ હિંસક વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. અને 2,500 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
રાજધાની ઢાકા અને અન્ય સ્થળોએ સરકારી નોકરીઓ માટે અનામત પ્રણાલીમાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે દેખાવકારોએ ઢાકાના રામપુરા વિસ્તારમાં સરકારી માલિકીની બાંગ્લાદેશ ટેલિવિઝન બિલ્ડિંગને ઘેરો ઘાલ્યો હતો, તેના રવેશને નુકસાન પહોંચાડ્યું હતું અને ત્યાં પાર્ક કરેલા ઘણા વાહનોને આગ લગાવી હતી. જેના કારણે પત્રકારો સહિત અનેક કર્મચારીઓ ત્યાં ફસાઈ ગયા હતા.
ઢાકા સહિત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનઢાકા અને અન્ય શહેરોમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ 1971 માં પાકિસ્તાનથી દેશની આઝાદી માટે લડનારા યુદ્ધ નાયકોના સંબંધીઓ માટે જાહેર ક્ષેત્રની કેટલીક નોકરીઓ અનામત રાખવાની સિસ્ટમ સામે દિવસોથી રેલીઓ કરી રહ્યા છે.
પોલીસ અને દેખાવકારો વચ્ચે ઘર્ષણ
સ્થાનિક અખબારો અમે મીડિયા ના અહેવાલો અનુસાર પોલીસ અને દેખાવકારો વચ્ચે સતત ઘર્ષણ ચાલી રહ્યું છે અને તેના પગલે પોલીસે દેખાવકારોને વિખેરવા માટે રબર બુલેટ, ટીયર ગેસ અને સાઉન્ડ ગ્રેનેડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું. રાજધાનીના ઉત્તરા વિસ્તારમાં જ્યાં અનેક ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે ત્યાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે મોટી અથડામણ થઈ હતી."
મૃત્યુ પામેલા લોકોની ઓળખ જાહેર ન કરાઈ
સત્તાવાળાઓએ તરત જ માર્યા ગયેલા લોકોની ઓળખ જાહેર કરી ન હતી પરંતુ અહેવાલો સૂચવે છે કે મૃતકોમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પહેલા મંગળવારે પણ છ લોકોના મોત થયા હતા. અઠવાડિયા કરતાં વધુ સમયથી આ વિરોદ પ્રદર્શન ચાલી રહ્યું છે અને હવે મૃતાંક 26 પર પહોચી ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech