કેન્દ્ર સરકારે ગુરુવારે પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં સુરક્ષામાં ખામી રહી હોવાનું સ્વીકાર્યું છે. સર્વપક્ષીય બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુપ્તચર બ્યુરો (IB) અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજર રહેલા વિપક્ષી નેતાઓને સુરક્ષામાં રહેલી ક્ષતિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ સંવેદનશીલ મુદ્દે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં વિપક્ષે સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. વિપક્ષી સાંસદોએ એકસૂરમાં આતંકવાદી છાવણીઓનો નાશ કરવાની માંગ કરી હતી અને સરકારને આતંકવાદ સામે વધુ કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.
બેઠક બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ મુદ્દે સરકાર જે પણ પગલાં લેશે તેને તેમનું સંપૂર્ણ સમર્થન રહેશે. આ મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. બેઠકની શરૂઆતમાં પહેલગામ હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામ નજીકના બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ એક ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં એક નેપાળી નાગરિકનો પણ સમાવેશ થાય છે, જ્યારે 10થી વધુ લોકો આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech