રાજા રજવાડાઓ બાબતે ભાજપના ઉમેદવાર પુરષોત્તમ પાલાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી અને ત્યાર પછીના ક્ષત્રિય આંદોલન, લેઉવા– કડવા પટેલવાદની પત્રિકા અને કોળી સમાજ વિશે ઘસાતું બોલવાના નાણામંત્રીના ઉચ્ચારણો પછી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બનેલી લોકસભાની રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુષોત્તમ પાલા વિજેતા બનીને ભાજપનો ગઢ જાળવી રાખશે કે વિવાદમાં જ રહેલી ચૂંટણીના કારણે કોંગ્રેસના પરેશ ધાનાણી જીતી જશે તેવા સવાલો લાંબા સમયથી આ બેઠકમાં અને દેશભરમાં પુછાય રહ્યા છે. આવતીકાલે બપોર સુધીમાં આ તમામ સવાલના જવાબ મળી જશે.
કણકોટ ખાતેની સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં આવતીકાલે સવારે ૮:૦૦ વાગ્યાથી મતગણતરી શ થવાની છે અને બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર થઈ જશે. ૧૧:૦૦ વાગ્યા આસપાસથી ટ્રેન્ડ મળવાનું પણ શ થઈ જશે.
પાલા અને ધાનાણી બંને રાજકોટના હોવાથી સામાન્ય મતદારોને તો ગમે તે ચૂંટાઈ તેનાથી કોઈ ફેર પડતો નથી. તારીખ ૭ મે ના રોજ ચૂંટણી પૂરી થયા પછી ઓછા મતદાન બાદ પણ ભાજપના નેતાઓ પાલા લાખો મતની લીડથી ચૂંટાશે તેવી વાતો કરે છે. યારે કોંગ્રેસના આગેવાનો પાતળી સરસાઈથી આ બેઠક જીતવાના દાવા કરે છે.
ચૂંટણી દરમિયાન લેઉવા અને કડવા પાટીદારો મામલે વિવાદાસ્પદ પત્રિકા ફરતી થઈ હતી અને તે સંદર્ભે પોલીસમાં પણ ફરિયાદ થઈ છે. વાદ ફેલાવવાની આ ગણતરીમાં કેટલી સફળતા મળી છે તે પણ આવતીકાલના પરિણામો પછી જાણવા મળી શકશે.
ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કોળીના મામલે કોળીયા અને ધોળીયા જેવા શબ્દો પ્રયોગો કર્યા હતા અને તેના પણ તીવ્ર પ્રત્યાઘાતો કોળી સમાજમાં પડા હતા. આ બાબત મત પેટી સુધી પહોંચી છે કે નહીં તેનો કાલે પરિણામ પછી આઈડિયા આવી જશે. રાજકોટ સંસદીય બેઠકમાં કોળી મતદારોની સંખ્યા પણ ઘણી વધારે છે.
કાલે સવારે ૮:૦૦ વાગ્યાથી ઈવીએમ અને પોસ્ટલ બેલેટ ની ગણતરી અલગ અલગ ૧૪ ટેબલો પર એક સાથે શ થઈ જશે. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબધં ફરમાવવામાં આવ્યો છે. ચૂંટણી પચં દ્રારા અધિકૃત કરીને જેમને પાસ ઈસયુ કરવામાં આવ્યા છે તે સિવાય કોઈને એન્ટ્રી મળશે નહીં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?
May 21, 2025 06:12 PMપોરબંદરમાં ટ્રાફિકને અડચણરૂ પ કેરીનું વેચાણ કરતા દસ ધંધાર્થીઓને થયો દસ હજારનો દંડ
May 21, 2025 06:06 PMકુછડી નજીક કાર ચલાવી રહેલા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું અકસ્માતે નિપજ્યુ મોત
May 21, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech