મે અને જુન-૨૦૨૫ એમ બંન્ને માસનું વિનામૂલ્યે અનાજ વિતરણ ચાલુ માસ (મે-૨૦૨૫)માં કરવામાં આવશે
ઇ-કેવાયસી બાકી છે તેવા રેશનકાર્ડધારકો ઇ-કેવાયસી કરાવવા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, પુરવઠા દ્વારા એપ્રુવ આપ્યાના ચોવીસ કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે
સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ (N.F.S.A.) અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ફોર્ટીફાઈડ ચોખા)નું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ માહે: મે-૨૦૨૫ અને જુન-૨૦૨૫, એમ બંન્ને માસનું વિતરણ ચાલુ માસ એટલે કે મે-૨૦૨૫માં કરવામાં આવશે. તેમજ મે-૨૦૨૫ના માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે-૨૦૨૫ના માસમાં કરવામાં આવશે. જેના માટે દરેક કાર્ડધારકે કુલ-૩ વાર આધાર આધારીત ઓથેન્ટીકેશન કરવાનું રહેશે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને સસ્તા અનાજની વાજબી ભાવની દુકાન ખાતેથી મે-૨૦૨૫ માસમાં મે અને જુન માસનો અનાજનો જથ્થો પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓએ
સમયસર મેળવી લેવાનો રહેશે.
જે NFSA રેશનકાર્ડ ધારકોનું E-KYC બાકી છે તે રેશનકાર્ડ ધારકો E-KYC કરાવવા સંલગ્ન મામલતદાર કચેરીના નાયબ મામલતદાર, પુરવઠા દ્વારા એપ્રુવ આપ્યાના ચોવીસ કલાક બાદ સસ્તા અનાજની દુકાન ખાતેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે...