રાજકોટના મ્યુનિસિપલ કોલ સેન્ટરનો નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૭ અને ટોલ ફ્રી નં.૧૮૦૦–૧૨૩–૧૯૭૩ આગામી એપ્રિલ માસથી બધં થશે. હવેથી શોર્ટ કોર્ડ નં.૧૫૫૩૦૪ ઉપર જ નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ ૨૦૦૮થી અમીનમાર્ગ ખાતે ૨૪૭ કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેમાં વાર્ષિક ૩.૭૫ લાખ ફરિયાદો નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્રારા લેન્ડલાઈન નં.૦૨૮૧–૨૪૫૦૦૭૭ કે જેમાં ૦૫ હન્ટીંગ લાઈન સામેલ છે તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ પર શહેરનાં નાગરિકો ફોન દ્રારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મુકેલ છે. ભારત સરકારનાં મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્રારા ભારતની તમામ મહાપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્રારા કરી શકાય તેવી વ્યવસ્થા શ કરવામાં આવેલ છે. આ માટે ૧૫૫૩૦૪ નંબરનો શોર્ટ કોડ અમલમાં મુકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવેલ છે. હાલમાં કોલ સેન્ટરનાં નંબર ૦૨૮૧–૨૪૫૦૦૭૭ તેમજ ટોલ – ફ્રી નંબર ૧૮૦૦–૧૨૩–૧૯૭૩નાં સ્થાને શોર્ટ કોર્ડ નંબર ૧૫૫૩૦૪ પરથી લોકો પોતાની મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો નોંધાવી શકશે.
હાલમાં મહાનગરપાલિકાની સેવાઓ અંગેની ફરિયાદો લોકો ૦૨૮૧–૨૪૫૦૦૭ અને ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ ને બદલે એક જ શોર્ટ કોડ ૧૫૫૩૦૪ નંબર ડાયલ કરી સરળતાથી નોંધાવી શકે છે. આગામી તા.૩૧–૦૩–૨૦૨૫ સુધી લોકો ૦૨૮૧–૨૪૫૦૦૭, ૧૮૦૦–૧૨૩–૧૯૭૩ અને શોર્ટ કોડ ૧૫૫૩૦૪ પર ફરિયાદો નોંધાવી શકશે. તા.૦૧–૦૪–૨૦૨૫થી મહાનગરપાલિકાને લગત સેવાઓ અંગેની ફરિયાદો ફકત શોર્ટકોડ ૧૫૫૩૦૪ પરથી જ ફરિયાદો નોંધાવી શકાશે
હવેથી શોર્ટ કોર્ડ નં.૧૫૫૩૦૪ની સેવા અમલી
–સમગ્ર દેશમાં એક જ શોર્ટ કોડ નંબર ૧૫૫૩૦૪ દ્રારા મહાનગરપાલિકાઓની સેવાઓ અંગેની ફરિયાદોની નોંધણી થશે
–ઉપરોકત નંબર ૧૫૫૩૦૪ને ઈફયિંલજ્ઞુિ–૧ નંબર તરીકે જાહેર કરવામાં આવેલ છે આથી તમામ ટેલિકોમ ઓપરેટરોને ફરજીયાત પણે આ સર્વિસ પ્રોવાઈડ કરવાની રહેશે
–અન–રીસ્ટ્રીકટેડ સર્વિસ જે જઝઉ ઈજ્ઞમય ઉપર પણ અવેલેબલ થશે
આ ઉપરાંત હાલની કોલ સેન્ટરની સેવાઓને મહાનગરપાલિકાનાં પોતાના ડાર્ક ફાયબર દ્રારા (૧૦ તય િજઈંઙ કશક્ષય) મહાનગરપાલિકાનાં સેન્ટ્રલ ઝોન સર્વર સાથે કનેકટ કરવામાં આવેલ છે. આથી લોકોને મહાનગરપાલિકાની સેવાઓ અંગેની પોતાની ફરિયાદો નોંધાવવામાં સરળતા રહેશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની વેબસાઈટ, મોબાઈલ એપ તેમજ વોટસએપ ચેટબોટ દ્રારા પણ લોકો પોતાની ફરિયાદો નોંધાવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવ દરમિયાન ખેડૂતોએ ખેતી કામમાં આટલી સાવચેતી જરૂર રાખવી….
April 07, 2025 05:47 PMપશુઓને હીટવેવથી બચાવવા પશુપાલન વિભાગ જામનગર દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ
April 07, 2025 05:45 PMયોગા કે વોકિંગ: કેલરી બર્ન કરવા માટે કયું સારું?
April 07, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech