રાજ્ય સરકાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદાર- ફરિયાદીને મુદ્દામાલ સમયસર પરત મળી રહે તે અંગે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ સી.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા સાઇબર ફ્રોડનો ભોગ બનનાર અરજદારોને મહત્તમ રકમ પરત મળી રહે તે માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ.કૈલા, એમ.એ.ઝણકાંટ, આર.જી. પઢિયાર, બી.બી.જાડેજા તથા એસ.ડી.ગીલવાની રાહબરિમાં ટીમ દ્વારા ચાલુ માસમાં સાયબર ફ્રોડની અલગ અલગ અરજીઓમાં તપાસ હાથ ધરી કુલ રૂપિયા 81,63,831 ની રકમ અરજદારોને પરત અપાવી હતી.
પોલીસ દ્વારા વધુ એક વખત પ્રજાજોગ સંદેશમાં લોકોને લોભ લાલચ કે ડરના લીધે અથવા તો ટેકનોલોજીની જાણકારીના અભાવે સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા હોય તેઓને વધુ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તેમજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકોમાં જાગૃતિ માટે સેમિનાર અને અવેરનેસ પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકાની ગોમતી નદીમાં સ્નાન દરમિયાન તણાયેલ વૃદ્ધનું મોત
June 03, 2025 11:52 AMસાક્ષરતા દર ૮૦.૯ ટકા સુધી પહોંચ્યો પણ લિંગ અને ભૂગોળના આધારે ભારે તફાવત
June 03, 2025 11:49 AMટ્રાન્સજેન્ડર દંપતીના બાળકને જેન્ડર-ન્યુટ્રલ બર્થ સર્ટિફિકેટ મળશે: કેરળ હાઈકોર્ટનો નિર્ણય
June 03, 2025 11:47 AMજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech