85 વર્ષીય વૃદ્ધ કરંટના કારણે તણાયા હતા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત
દ્વારકામાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે તણાઈ ગયા હતા.
જૂનથી ઓગસ્ટ દરમિયાન દ્વારકા પંથકના દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજા જોવા મળે છે. ગોમતી નદી દરિયા સાથે જોડાયેલી હોવાથી આ તોફાની પરિસ્થિતિની અસર નદીના પાણીમાં પણ જોવા મળે છે. બહારગામથી આવતા યાત્રિકોને આ સ્થિતિની જાણકારી ન હોવા છતાં, પવિત્ર ગોમતી નદીમાં સ્નાનનો મહિમા હોવાથી તેઓ સ્નાન કરવા જાય છે.
ઘટના બાદ ઘાટ પર હાજર પોલીસકર્મીઓ અને સ્થાનિક તરવૈયાઓએ વૃદ્ધને નદીમાંથી બહાર કાઢ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી, પરંતુ સારવાર અસરકારક થાય તે પહેલાં જ વૃદ્ધના શ્વાસ થંભી ગયા હતા. ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech