ભારતના અનેક રાજ્યોમાંથી ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. આવો જ એક કિસ્સો બિહારના શરીફ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં સદર હોસ્પિટલમાં એક વ્યક્તિ જે મૃત્યુ પામ્યો હોવાનું માનવામાં આવે છે તે અચાનક ઉભો થયો. આ ઘટના બનતા જ સમગ્ર હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આવો જાણીએ શું છે આ આશ્ચર્યજનક બાબત.
શું છે સમગ્ર મામલો?
બિહાર શરીફની સદર હોસ્પિટલમાં મૃત જાહેર કરાયેલ એક વ્યક્તિ અડધા કલાક પછી અચાનક ઉભો થયો હતો. સફાઈ કામદાર હોસ્પિટલના બાથરૂમમાં સફાઈ કરવા પહોંચ્યો ત્યારે એક બાથરૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને બહાર કોઈના ચપ્પલ પડેલા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેણે અંદરથી દરવાજો ન ખોલ્યો.
ફોરેન્સિક ટીમે આપી હતી માહિતી
હોસ્પિટલે આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંધ દરવાજાનો ઉપરનો ભાગ તોડી નાખ્યો. પોલીસે જોયું કે એક વ્યક્તિ બાથરૂમમાં પડેલો હતો અને કોઈ હલચલ કરી રહ્યો ન હતો. આ પછી પોલીસે તેને મૃત માની લીધો અને ફોરેન્સિક ટીમને જાણ કરી. પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે વ્યક્તિનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું.
સ્ટ્રેચર લાવવામાં આવતા જ તે વ્યક્તિ થઈ ઊભી
જ્યારે વ્યક્તિને લઈ જવા માટે સ્ટ્રેચર લાવવામાં આવ્યું હતું. તે જ સમયે તે અચાનક ઉભો થયો. આ વ્યક્તિ રાકેશ છે, અસ્થાવન પોલીસ સ્ટેશન વિસ્તારના જીરૈન ગામનો રહેવાસી છે. તે નશાની હાલતમાં મળી આવ્યો છે. હાલ પોલીસ તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech