ભાવનગર રેલ્વે મંડળ સિંહ-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ગાડીઓનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૫૫ સિંહોના જીવ બચાવવામાં આવ્યા છે.
ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, ૨૪ ઓગસ્ટના રોજ લોકો પાઇલટ રમેશ પી. ભેવલિયા (મુખ્યાલય જૂનાગઢ) ગાડી નંબર ૦૯૨૯૨ અમરેલી-વેરાવળ પેસેન્જર ગાડી માં કામ કરતી વખતે, કિ.મી. ૫૧/૬, ચલાલા-ધારી સેક્શન વચ્ચે રેલ્વે પાટા પર બેઠેલા ૩ સિંહોને જોયા અને ઇમરજન્સી બ્રેક લગાવી અને ગાડી રોકી સિંહોના જીવ બચાવ્યા હતા. ગાડી મેનેજરને લોકો પાયલોટ દ્વારા જાણ કરવામાં આવી હતી, મેનેજરે ચલાલા સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ સાથે વાત કરી હતી, સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટે વન વિભાગના સ્ટાફને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીએ ઘટનાસ્થળે પહોંચી આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કર્યું અને પાટા સાફ હોવાનો સંકેત આપ્યો હતો. પાટા ક્લિયર હોવાની માહિતી મળતાં જ ગાડીને લોકો પાયલટ દ્વારા ગંતવ્ય સ્ટેશન તરફ લઈ જવામાં આવી હતી.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર દ્વારા લોકો પાઇલટની પ્રશંસનીય કામગીરી માટે પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech