કોર્પોરેટ ઓફીસમાંથી તાત્કાલીક ધ્રોલના બે ઇજનેર કે.એન.આહીરને સસ્પેન્ડ કરી સુરેન્દ્રનગર મોકલાયા: ભારે ચકચાર
કોરોના કાળમાં ચાલુ ફરજ દરમ્યાન મૃત્યુ પામનાર 48 કર્મચારીઓને સહાય આપવાનું નકકી થયા બાદ કોર્પોરેટ કચેરીના એચઆર વિભાગના આસી.સેક્રેટરી અને ધ્રોલના ડીવીઝનલ ડે.ઇજનેર દ્વારા ા.10 લાખના ઉઘરાણા પ્રકરણનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયા બાદ આ બંને અધિકારીઓને પીજીવીસીએલની વડી કચેરીના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, કોરોના કાળમાં જે કર્મચારી મૃત્યુ પામ્યા હોય તેમના પરીવારને ા.25 લાખની સહાય ચુકવવા જાહેરાત કરવામાં આવી હતી, કેટલાક કર્મચારીઓના સગા-વ્હાલાઓએ સહાય ન મળતા રાજયના ઉર્જા મંત્રીને જાણ કરાઇ હતી, 48 કર્મચારીઓને ા.14 કરોડની સહાય અંગે જાહેરાત કરાયા બાદ કોર્પોરેટ ઓફીસ અને ધ્રોલના સબ ડીવીઝનના અધિકારી વચ્ચે વાતચીત થયાની વાત સોશ્યલ મીડીયામાં વિડીયો દ્વારા પ્રસારીત થઇ હતી, એચઆર વિભાગના આસી.સેક્રેટરી પેશ મોદીની અંજાર અને ધ્રોલ સબ ડીવીઝનના ડે.ઇજનેર કે.એન.આહીર (મીયાત્રા)ને સસ્પેન્ડ કરીને તેમને સુરેન્દ્રનગર ખાતે મુકી દેવામાં આવ્યા છે. આ પ્રકરણે પીજીવીસીએલમાં ભારે ચકચાર જગાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech