રાજ્યસભામાં વક્ફ બિલ પર JPC રિપોર્ટ રજૂ થતાં જ વિપક્ષે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ઇમરાન મસૂદે કહ્યું કે, મુસ્લિમો સામે નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ પહેલા કેરળના દરિયાકાંઠાના અને વનવાસીઓના રક્ષણની માગણી સાથે કોંગ્રેસના સાંસદોએ સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ થયા હતા. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ ભારત-પાકિસ્તાન સરહદ નજીક નવીનીકરણીય ઉર્જા સુવિધા સ્થાપવા અંગે ચર્ચા કરવા માટે લોકસભામાં સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
સંસદના વર્તમાન બજેટ સત્રના પહેલા ભાગની કાર્યવાહીનો આજે છેલ્લો દિવસ છે. આજે જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) લોકસભામાં પોતાનો અહેવાલ રજૂ કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પણ આજે નવું આવકવેરા બિલ રજૂ કરશે. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં વક્ફ પર JPC રિપોર્ટ રજૂ કર્યો છે. ઉપલા ગૃહે પણ આ અહેવાલનો સ્વીકાર કર્યો છે. વિપક્ષી સભ્યોએ વક્ફ બિલને લઘુમતીઓના અધિકારો પર હુમલો ગણાવીને પાછું ખેંચવાની માંગ કરી છે.
ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં JPC રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ભાજપના સાંસદ મેધા વિશ્રામ કુલકર્ણીએ રાજ્યસભામાં આ બિલ રજૂ કર્યું હતું. આ દરમિયાન વિપક્ષી સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર જગદીપ ધનખડે ગૃહને સવારે ૧૧:૨૦ વાગ્યા સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી સભ્યો વેલમાં આવી રહ્યા છે અને વક્ફ બિલ પાછું ખેંચવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષી સભ્યોને પ્રશ્નકાળની કાર્યવાહી ચાલુ રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે જ્યારે બિલ આવશે, ત્યારે જોઈશું. વિપક્ષી સભ્યોએ સતત સૂત્રોચ્ચાર કર્યા, જેના પગલે સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું છે.
કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું છે કે, JPCમાં ચર્ચા દરમિયાન, અમે વક્ફ બિલના મુસદ્દામાં ગંભીર બંધારણીય ખામીઓ અને અસંગતતાઓને પ્રકાશિત કરી છે. મને આશા છે કે, સરકાર આ અંગે ગંભીરતાથી વિચાર કરશે. તેમણે કહ્યું કે, આપણે તેમાં ઊંડા ઉતરવું પડશે અને ખૂબ જ તટસ્થ અભિગમ અપનાવવો પડશે.
વકફ બિલ પર જેપીસીનું નેતૃત્વ કરી રહેલા જગદંબિકા પાલે કહ્યું છે કે, આ બિલ પર ઘણી ચર્ચા થઈ છે. બધા હિસ્સેદારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આ રિપોર્ટ દેશભરમાંથી વિગતો લઈને તૈયાર કરવામાં આવ્યો છે. જગદંબિકા પાલે એમ પણ કહ્યું છે કે, ૧૪ કલમોમાં ૨૫ સુધારા સ્વીકારવામાં આવ્યા છે. વિપક્ષના આરોપો પર તેમણે કહ્યું કે કેટલાક લોકો કહે છે કે તેમના વિચારો સાંભળવામાં આવ્યા નથી, આ ખોટું છે. જગદંબિકા પાલે કહ્યું કે મેં અસંમતિનો ઉલ્લેખ પણ માંગ્યો હતો અને બધા માટે નોંધ પણ લખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech