સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણા અને કોઠારી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તા.14-08-2024ને બુધવારના રોજ કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શાકભાજીના વાઘા ધરાવી એવં બટાકા, રીંગણા, કોબી, ફુલાવર, ટામેટા, લીલા મરચા,ગાજર,સુરત,બીટ વિગેરે 1હજાર કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનાની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે દાદાને 1હજાર કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસન શણગાર કરાયો છે. દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરાના પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા છે. દાદાના શાકભાજી ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનને શાકભાજીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને છ કલાકથી વધુ સમય લાગ્યો હતો.પાદરાના હરિભક્તો દ્વારા આ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIGI Airport: દિલ્હીમાં ખરાબ હવામાનની ભારે અસર, 42 ફ્લાઇટ્સ કરાઈ ડાયવર્ટ
April 11, 2025 09:58 PMતારીખ પે તારીખ નહીં, તહવ્વુર રાણાને જલ્દી સજા મળશે, નવા કાયદા પ્રમાણે ચાલશે કેસ
April 11, 2025 09:08 PMઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech