બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને શેખ હસીના ભારત આવી છે, ત્યારબાદ બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે એક પોસ્ટ શેર કરીને લોકોની વિચારસરણી પર સવાલ ઉઠાવ્યા છે.
બાંગ્લાદેશમાં સ્થિતિ સતત વણસી રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસાની તસવીરો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે, જે લોકોને ચોંકાવી રહી છે.ત્યાંની સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે વડાપ્રધાન શેખ હસીનાએ પણ પોતાની સુરક્ષા માટે ઢાકા છોડીને ભારત આવવું પડ્યું. દરમિયાન, શેખ હસીના ભારતમાં છે , ત્યારે બોલિવૂડ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેની અત્યારે દરેક જગ્યાએ ચચર્િ થઈ રહી છે.
એક્સ પર પોસ્ટ શેર કરતી વખતે, કંગના રનૌતે બાંગ્લાદેશમાં બનેલી ઘટનાને લોકોની સુરક્ષા સાથે જોડીને ધાર્મિક એંગલ આપ્યો છે. તેમણે કહ્યું છે કે- ભારત આપણી આસપાસના તમામ ઇસ્લામિક પ્રજાસત્તાકોની મૂળ માતૃભૂમિ છે. બાંગ્લાદેશના માનનીય વડા પ્રધાન ભારતમાં સુરક્ષિત અનુભવે છે તે માટે અમે સન્માનિત અને ખુશ છીએ. પરંતુ ભારતમાં રહેતા દરેક વ્યક્તિ પૂછે છે કે હિન્દુ રાષ્ટ્ર કેમ? રામ રાજ્ય શા માટે? સારું, હવે તે શા માટે સ્પષ્ટ છે.
જ્યારે સાંસદ કંગના રનૌતે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે મુસ્લિમ દેશોમાં કોઈ સુરક્ષિત નથી. ખુદ મુસ્લિમો પણ નહીં. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને બ્રિટનમાં જે કંઈ થઈ રહ્યું છે તે દુભર્ગ્યિપૂર્ણ છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે રામ રાજ્યમાં રહીએ છીએ. જય શ્રી રામ. બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું અને સોમવારે બપોરે લગભગ 2.30 વાગ્યે બંગા ભવનથી સૈન્ય હેલિકોપ્ટરમાં નાની બહેન શેખ રેહાના સાથે ભારત આવ્યા હતા. તેમનું વિમાન રાજધાની દિલ્હી નજીક ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર ઉતર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, શેખ હસીના ભારતમાં થોડા દિવસ વિતાવી શકે છે અને ત્યારબાદ તે લંડન જવા રવાના થઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech