રાજકોટના વતની અને હાલ દિલ્હી એઇમ્સમાં ન્યુરો સર્જન તરીકે ફરજ બજાવતા ડો. રાજ મનસુખભાઇ ઘોણિયા (ઉ.વ.૩૪)એ ગઇકાલે દિલ્હીના ગૌતમનગર વિસ્તારમાં આવેલા ઘરમાંથી બેભાન હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે એઇમ્સ ખાતે મોકલી તપાસ હાથ ધરવામાં આવતા ડો.રાજ ઘોણિયાએ વધુ પડતી દવાનો ડોઝ લઇ સ્યુસાઇડ કર્યાનું સામે આવ્યું હતું. પોલીસને મૃતદેહ પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં મારા આપઘાત કરવા પાછળ કોઈ જવાબદાર ન હોવાનો ઉલ્લેખ કર્યેા છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી બનાવની જાણ પરિવારને કરતા રાજકોટ સ્થિત પરિવાર દિલ્હી ખાતે દોડી ગયો હતો. આશાસ્પદ પુત્રએ ભરેલા પગલાંને લઈ પરિવારમાં આક્રદં સર્જાયો હતો. રાજકોટ સ્થિતિ પરિચિતના જણાવ્યા મુજબ ડો.રાજ ઘોણીયા છ મહિના પહેલાં જ એઇમ્સમાંથી ન્યુરો સર્જન તરીકેની એસઆરશીપ પુરી કરી ૧૫ દિવસ પૂર્વે જ યુએસમાં ટ્રેનિંગ લઈને પરત ફર્યા હતા. ડો.રાજએ લવમેરેજ કર્યા હતા અને પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજિસ્ટ છે. રક્ષાબંધન હોવાથી પત્ની રાજકોટ આવી હતી ત્યારે ડો.રાજએ પાછળથી પગલું ભરી લીધું હતું. ડો.રાજના પિતા રાજકોટ દુરદર્શનના કર્મચારી છે. ગઇકાલથી પત્ની પતિ રાજને ફોન કરતી હતી પરંતુ ફોન ઉપડતો ન હોવાથી પરિચિત અને ત્યાં નજીકમાં જ રહેતા ડો.આકાંશાને ફોન કરી ઘરે જઈ સંપર્ક કરાવવા માટેનું કહ્યું હતું. ડો.આકાંશા ઘરે જતા દરવાજો બધં હતો બાદમાં અન્ય લોકોની મદદથી દરવાજો તોડીને અંદર જોતા ડો.રાજ બેભાન હાલતમાં જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તબીબ પુત્રના મોતથી પરિવાર આઘાતમાં ગરકાવ થયો છે. બનવાની જાણ થતા જ રાજકોટ તેમજ દિલ્હી એઇમ્સના સાથી તબીબો, મિત્રોમાં શોક છવાયો છે. ડો.રાજ નો મૃતદેહ લઈને પરિવાર સાંજે રાજકોટ આવશે અને રાજનગર પાસે આવેલી વિવિધ કર્મચારી સોસાયટીમાંથી તેમની સ્મશાન યાત્રા નીકળશે. વધુમાં આપઘાતનું કારણ જાણવા દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech