ગાંધીનગર કોર્પેારેશને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે હોસ્ટેલ અને પીજી તેમજ લાયબ્રેરીઓનો રાફડો ફાટો છે અને અત્યારસુધી તેની સામે કોઇ નક્કર કાર્યવાહી થઇ શકી નથી ત્યારે મહાનગરપાલિકા દ્રારા સરવે કરવામાં આવ્યા બાદ આ પ્રકારે ગેરકાયદે ચાલતી ૩૫૦થી વધુ હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીને કલોઝર નોટીસ આપવામાં આવી છે. આ અગાઉ પણ નોટીસ આપવા છતાં હોસ્ટેલો બધં થઇ નથી પામી છે પરંતુ અત્યારસુધી મહાનગરપાલિકા દ્રારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે જોકે, રહેણાંક વિસ્તારની તમામ હોસ્ટેલ બધં કરાવવાનો નિર્ણય લેવાયો છે.
રાયનું પાટનગર હોવાથી તેમજ રાષ્ટ્ર્રીય– આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની અનેક યુનિવર્સિટીઓ આવેલી હોવાથી મોટી સંખ્યામાં બહારના રાયના વિધાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. તે સિવાય સરકારી ભરતી પરીક્ષાની તૈયારી માટે પણ રાયભરના યુવાનો ગાંધીનગરમાં આવે છે. જેથી અહીં હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીઓ મોટા પ્રમાણમાં ઉભી થઇ છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ઉભી થયેલી હોસ્ટેલ, પીજી અને લાયબ્રેરીને કારણે આસપાસના વસાહતીઓમાં અનેક સમસ્યાઓ ઉદભવે છે. નાગરિકોની રજૂઆતના પગલે મહાનગરપાલિકા દ્રારા ગાંધીનગર શહેરના વિવિધ રહેણાંક વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અનેક રહેણાંક મકાનોમાં હોસ્ટેલ, પીજી અને લાઇબ્રેરી તેમજ કલાસીસ ચાલતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આવા ૩૫૦ જેટલા આવાસમાં ચાલતા હોસ્ટેલ, પીજી– લાયબ્રેરીને જીપીએમસી એકટ હેઠળ નોટીસ ફટકારી ૩૦ દિવસમાં ઉપયોગ બધં કરવાની નોટીસ ફટકારવામાં આવી હતી. પરંતુ તેનો સમયગાળો પૂર્ણ થવા છતાં પણ હોસ્ટેલ સંચાલકો દ્રારા બેરોકટોક આ પ્રકારની પ્રવૃત્તિ ચાલું રાખવામાં આવી છે.હવે મહાપાલિકા દ્રારા આવા એકમો સામે કડક પગલાં લેવાનું નક્કી કરાયું છે અને તમામને છેલ્લી કલોઝર નોટીસ આપવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech